Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Three million students protest in Bangladesh

બદલાઈ જશે બાંગ્લાદેશ, રાષ્ટ્રપતિ-આર્મીચીફના પદો નાબૂદ થશે; બંધારણ ખતમ કરવાનું એલાન?

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2024
લાઇવ ટીવીGoogle News
બદલાઈ જશે બાંગ્લાદેશ, રાષ્ટ્રપતિ-આર્મીચીફના પદો નાબૂદ થશે; બંધારણ ખતમ કરવાનું એલાન?

શેખ હસીનાને સત્તા પરથી હટાવનાર બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે. આજે રાજધાની ઢાકામાં શહીદ મિનાર ખાતે વિદ્યાર્થીઓ એકઠા થવાના છે. બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામીએ આ કાર્યક્રમનો જોરદાર પ્રચાર કર્યો છે. કહેવાય છે કે શહીદ મિનાર પર લગભગ 30 લાખ લોકો એકઠા થશે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઝૂકી ગઈ છે.

App Store

આ પણ વાંચોઃ ગ્રાન્ડ મસ્તી ભલે કરો, એનિમલ બનીને કમઠાણ મચાવ્યુ તો ખેર નથી- સુરત પોલીસની થર્ટી ફર્સ્ટે ચીમકી

બપોરે 3 વાગ્યે ઢાકાના શહીદ મિનાર પર એકઠા થઈ શકે છે વિદ્યાર્થીઓ 

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ બપોરે 3 વાગ્યે ઢાકાના શહીદ મિનાર પર એકઠા થઈ શકે છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝઘડાની શક્યતા છે. ભીડને વિખેરવા માટે પોલીસ લાઠીચાર્જ, ટીયર ગેસ અથવા વોટર કેનનનો ઉપયોગ કરી શકે છે.

બાંગ્લાદેશનું નામ બદલવાનો છે પ્લાન

વિદ્યાર્થી નેતાઓ બાંગ્લાદેશના બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. દાવો કરવામાં આવે છે કે તેમનો પહેલો પ્રયાસ બાંગ્લાદેશનું નામ બદલવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશનું નામ ઈસ્લામિક રિપબ્લિક ઑફ બાંગ્લાદેશ અથવા ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈસ્ટ પાકિસ્તાન હોઈ શકે છે.

આ સિવાય બાંગ્લાદેશમાં સુન્નત અને શરિયા પણ લાગુ કરી શકાય છે. બાંગ્લાદેશમાં સત્તા પર સંપૂર્ણ કબજો કરવા માટે રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પાસેથી બળજબરીથી રાજીનામું લઈ શકાય છે. મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનાવવાની પણ ચર્ચા છે.

નવું બંધારણ બનાવવાની કોશિશ 

વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ બાંગ્લાદેશમાં નવું બંધારણ લાવવા માંગે છે. તેમણે 1972માં તૈયાર થયેલા બાંગ્લાદેશના બંધારણને 'મુજીબિસ્ટ ચાર્ટર' ગણાવ્યું અને કહ્યું કે, 'અમે તેને સંપૂર્ણપણે દફનાવી દઈશું કારણ કે તેનાથી ભારતને બાંગ્લાદેશ પર શાસન કરવાની તક મળી છે.'

જો કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી તેના સમર્થનમાં નથી. ખાલિદા ઝિયાના નેતૃત્વવાળી BNPએ કહ્યું કે જો બંધારણમાં કંઇક ખોટું છે તો તેને બદલી શકાય છે. પરંતુ બંધારણને સંપૂર્ણ રીતે નષ્ટ કરવું યોગ્ય નથી.