પૂર્વ નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં મદદ કરનાર આતંકી મુફ્તી શાહ મીરની પાક.માં કરાઇ હત્યા

પાકિસ્તાનમાં ફરી એક અજાણ્યા વ્યક્તિએ હંગામો મચાવી દીધો છે. આના કારણે ત્યાંના આતંકવાદી સંગઠનોમાં ફફડતનો માહોલ છે. પાકિસ્તાનના તુર્બતમાં આતંકવાદી મુફ્તી શાહ મીરની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. તેણે ઈરાનથી ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં ISI ને મદદ કરી હતી.
ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરનાર મુફ્તી શાહ મીરની ગોળીમારી હત્યા કરાઇ છે. તાજેતરના ભૂતકાળમાં, આવા આતંકવાદીઓને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સતત મારી નાખવામાં આવી રહ્યા છે, જેમનો કોઈને કોઈ રીતે ભારતને અસ્થિર કરવામાં હાથ રહ્યો છે. પાકિસ્તાને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ઉઠાવ્યો છે.

