VIDEO: નેપાળ ક્લાઉડબર્સ્ટ પર કેન્દ્રીય જળ મંત્રી સી.આર.પાટીલનું નિવેદન
સોર્સ : gstv
સુરતમાં કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલે નેપાળમાં ક્લાઉડબર્સ્ટની ઘટના અંગે સરકારની તૈયારીઓ અને સ્થિતિ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. આપત્તિની અસરને શક્ય તેટલી ઓછી કરવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સહાય અને બચાવ કામગીરી માટે સરકાર સતર્ક છે.

