Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Rahul Gandhi's 'Khatakhat'-like campaign in Switzerland fails! Know what citizens said

સ્વિટ્ઝર્લેન્ડમાં રાહુલ ગાંધીની 'ખટાખટ' યોજના જેવું કેમ્પેઈન અસફળ! જાણો નાગરિકોએ શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સ્વિટ્ઝર્લેન્ડમાં રાહુલ ગાંધીની 'ખટાખટ' યોજના જેવું કેમ્પેઈન અસફળ! જાણો નાગરિકોએ શું કહ્યું
સોર્સ : GSTV

સ્વિટ્ઝર્લેન્ડમાં સમાજવાદી પાર્ટીઓએ ધનવાનો પર ટેક્સ લગાડવાની ભલામણ કરીને દેશવ્યાપી ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે સ્વિટ્ઝર્લેન્ડમાં જનમત સંગ્રહ થયો હતો. એમાં ધનવાનો પર તોતિંગ 50% ટેક્સ લગાડવાના પ્રસ્તાવને 78% વોટિંગથી નાગરિકોએ નકારી દીધો હતો. ભારતમાં રાહુલ ગાંધીએ પણ 2024ની ચૂંટણીમાં આ પ્રકારની યોજના લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડના સમાજવાદી પક્ષોએ તેનાથી પ્રેરિત થઈને કેમ્પેઈનિંગ કર્યાનું કહેવાય છે.

App Store

ધનવાનોને 50% વારસાઈ ટેક્સ ચૂકવવાની માગ 

સ્વિટ્ઝર્લેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની યુવાપાંખ જેયુએસઓએ ધનવાનો પર 50% વારસાઈ ટેક્સ લાદવા અંગે દેશવ્યાપી કેમ્પેઈનિંગ કર્યું હતું. શરૂઆતમાં એ ઝુંબેશને લોકસમર્થન પણ મળતું હતું. આ પાર્ટીની યુવાપાંખે એવું સૂત્ર બનાવ્યું હતું કે દેશના ધનવાન પરિવારોને વારસામાં ધન-સંપત્તિ મળે છે, જ્યારે સામાન્ય લોકોના ભાગે ક્લાઈમેટ ચેન્જ, મોંઘવારી, આર્થિક અનિશ્વિતતા વગેરે આવે છે. આ અસંતુલન ન ચાલે. સંતુલન જાળવી રાખવા માટે ધનવાનોએ 50% વારસાઈ ટેક્સ ચૂકવવો જોઈએ.

આ કેમ્પેઈન રાહુલ ગાંધીની 'ખટાખટ' યોજના જેવું

આ કેમ્પેઈનિંગ રાહુલ ગાંધીની 2024ની 'ખટાખટ' યોજના જેવું હતું. જેમાં રાહુલ ગાંધીએ કહેલું કે ધનવાનો પાસેથી પૈસા લઈને તે મહિલાના અકાઉન્ટ્સમાં ખટાખટ ખટાખટ એક લાખ રૂપિયા નાખી દેશે. જોકે, રાહુલ ગાંધીનું કેમ્પેઈન સફળ થયું ન હતું અને પાર્ટી સત્તામાં આવી ન હતી. એ જ રીતે તેનાથી પ્રેરિત સ્વિટ્ઝર્લેન્ડનું વારસાઈ ટેક્સનું કેમ્પેઈન પણ સફળ થયું ન હતું. જનમત સંગ્રહમાં 78%થી વધુ મતદારોએ પ્રસ્તાવના વિરોધમાં વોટિંગ કર્યું હતું. મતદારોએ સ્પષ્ટ મેસેજ આપ્યો હતો કે જેની પાસે જે છે એની પાસે જ એ રહેશે.

આ ટેક્સથી દેશને લાંબાગાળા સુધી ફાયદો થશે નહિ

ધનવાનો પર વારસાઈ ટેક્સ લગાડવાની વિરોધમાં એવી દલીલ થઈ હતી કે જો મોટો ટેક્સ લગાડાશે તો બેંકિંગ સેક્ટરને અસર થશે. ધનવાનો દેશ છોડીને અન્ય દેશોમાં ચાલ્યા જશે અને સરવાળે સરકારની ટેક્સની આવક ઘટી જશે. ટેક્સથી ટૂંકાગાળે ફાયદો થશે તો પણ લાંબાગાળે મોટું નુકસાન થશે. વારસાઈ ટેક્સની વિરોધની આ દલીલ લોકોએ માન્ય રાખી હતી.