Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Our war preparations are better than before', Iran army chief

‘અમારી યુદ્ધ તૈયારીઓ પહેલા કરતાં વધુ સારી’, ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન સેના પ્રમુખની ધમકી

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2026
લાઇવ ટીવીGoogle News
‘અમારી યુદ્ધ તૈયારીઓ પહેલા કરતાં વધુ સારી’, ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન સેના પ્રમુખની ધમકી
સોર્સ : GSTV

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન સેના પ્રમુખે કડક શબ્દોમાં ધમકી આપી છે. સેના પ્રમુખ મેજર જનરલ અમીર હાતેમીએ આજે (7 જાન્યુઆરી) પોતાના દેશ વિરુદ્ધ નિવેદન મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુશ્મનના હુમલા પહેલા હુમલો કરવાની ધમકી આપી છે. તેમનું આ નિવેદન ટ્રમ્પના તે નિવેદન તરફનો ઇશારો મનાય છે, જેમાં તેમણે કહ્યું હતું કે, જો તહેરાન શાંતિપૂર્વક દેખાવો કરી રહેલા લોકોને હિંસક રીતે મારશે તો અમેરિકા તેમની મદદ માટે પહોંચી જશે.

App Store

ઈરાન સરકારે જનઆક્રોશને શાંત કરવા પરિવારોને નાણાં આપ્યા

ઈરાનના સેના પ્રમુખનું આ નિવેદન તેવા સમયે સામે આવ્યું છે, જ્યારે ઈરાન ઈઝરાયલ અને અમેરિકાના બેવડા ખતરાનો સામનો કરી રહ્યું છે. એટલું જ નહીં ઈરાનની પ્રજા આર્થિક સમસ્યાઓના કારણે દેખાવો કરી રહી છે, જેના કારણે ઈરાન સરકાર સામે પડકારો વધી ગયા છે. ઈરાન સરકારે જીવનજરૂરી ચીજવસ્તુઓની વધતી કિંમતો ઘટાડવા માટે અને જનઆક્રોશને શાંત કરવા માટે પરિવારોના બૅંક એકાઉન્ટમાં લગભગ સાત ડૉલર માસિક સબસિડી આપવાની શરુઆત કરી દીધી છે.

અમે આક્રમણ કરનારાઓનો હાથ કાપી નાખીશું : ઈરાન સેના પ્રમુખ

એક સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, હાતેમીએ કહ્યું કે, ‘ઈરાન વિરુદ્ધ આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે તો મોટો ખતરો ઊભો થશે. અમે આવા લોકોને જવાબ આપ્યા વગર છોડીશું નહીં. હું વિશ્વાસ સાથે કહું છું કે, આજે હથિયારોથી સજ્જ ઈરાનના સૈનિકોની યુદ્ધ લડવાની ક્ષમતા પહેલાથી વધુ છે. જો દુશ્મન કોઈ ભૂલ કરશે તો તેણે નિર્ણાયક હુમલાનો સામનો કરવો પડશે અને અમે કોઈપણ આક્રમક કરનારાઓનો હાથ કાપી નાખીશું.’

ઈરાનમાં પ્રદર્શનનો 11મો દિવસ

ઈરાનમાં પ્રદર્શનકારીઓ છેલ્લા 11 દિવસથી ઉગ્ર દેખાવો ચાલી રહ્યા છે. અમેરિકન માનવાધિકાર કાર્યકર્તાઓના રિપોર્ટ મુજબ, ઈરાનમાં ચાલી રહેલા પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે. દેશના 31માંથી 27 પ્રાંતોમાં પ્રદર્શન ફેલાઈ ચૂક્યું છે. ઈરાનના ઉપરાષ્ટ્રપ્રમુખે સ્વીકાર કર્યો છે કે, દેશ સંપૂર્ણ આર્થિક યુદ્ધની સ્થિતિમાં આવી ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે.