Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Israel Iran war: Fear of damage to Indian basmati rice, know this revealed in a report

Israel Iran war: ભારતીય બાસમતી ચોખાને નુકસાનની ભીતિ, જાણો એક રિપોર્ટમાં આવો થયો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Israel Iran war: ભારતીય બાસમતી ચોખાને નુકસાનની ભીતિ, જાણો એક રિપોર્ટમાં આવો થયો ખુલાસો

Israel Iran war:  અત્યારે મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સર્જાયેલો છે. આ બંને દેશોના સંઘર્ષને લીધે ભારતમાં પણ આની અસર જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં ચાલતી અનિશ્ચિતતાને લીધે ભારતીય બાસમતી ચોખા પર મહત્ત્વની અસર પડવાની શક્યતા છે.

App Store

શું અસર થશે?

આર્થિક અહેવાલ પ્રસિદ્ધ કરતા Crisilના નવા રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ-2025માં ભારતીય બાસમતી ચોખાની નિકાસમાં ઈરાન અને ઈરાનની ભાગીદારી 14 ટકા અને વર્તમાન તણાવને લીધે આની પર અસર થવાની શક્યતા સેવાઈ રહી છે. Crisil રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મિડલ ઈસ્ટ, અમેરિકા અને યુરોપના અન્ય દેશોને નિકાસ કરવાની ભારતની ક્ષમતા માંગ જોખમને ઓછી કરી છે. પરંતુ લાંબા ગાળા સુધી સંકટ રહેવાથી આ ક્ષેત્રોમાં ચુકવણીમાં વિલંબ થઈ શકે છે.

અન્ય કયા ક્ષેત્રોને અસર થઈ શકે છે?

ભારતીય બાસમતી ચોખા તેમજ ખાતરો અને પોલિશ્ડ હીરા જેવા અન્ય ક્ષેત્રો પર થોડી અસર થઈ શકે છે, પરંતુ તે બાસમતી ચોખા ક્ષેત્ર કરતાં ઓછી રહેવાની ધારણા છે.

 ગયા વર્ષે કુલ હીરા નિકાસમાં ઇઝરાયલનો હિસ્સો લગભગ 4 ટકા હતો, જેના કારણે ઇઝરાયલ સ્થાનિક હીરા પોલિશ કરનારાઓ માટે મુખ્ય વેપાર કેન્દ્રોમાંનું એક બન્યું. જોકે, તણાવ પોલિશરોને બેલ્જિયમ અને સંયુક્ત આરબ અમીરાત જેવા વૈકલ્પિક વેપાર કેન્દ્રો શોધવા માટે દબાણ કરી શકે છે.