Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Bus going from Pokhara to Kathmandu falls into Trishuli river, 17 passengers die

નેપાળમાં માર્ગ અકસ્માત: પોખરાથી કાઠમંડુ જઈ રહેલી બસ ત્રિશુલી નદીમાં ખાબકી, 6 મહિલા સહિત 11 પુરુષોના મોત

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
નેપાળમાં માર્ગ અકસ્માત: પોખરાથી કાઠમંડુ જઈ રહેલી બસ ત્રિશુલી નદીમાં ખાબકી, 6 મહિલા સહિત 11 પુરુષોના મોત
સોર્સ : GSTV

નેપાળમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતે અનેક પરિવારોને શોકમાં મૂકી દીધા છે. પોખરાથી કાઠમંડુ જતી એક પેસેન્જર બસ આજે વહેલી સવારે ત્રિશુલી નદીમાં ખાબકી હતી. ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા, જ્યારે 27 મુસાફરો ઘાયલ થયા હતા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મૃતકોમાં છ મહિલાઓ અને 11 પુરુષોનો સમાવેશ થાય છે.

App Store

,પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

અકસ્માત બાદ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. નદીમાં પડી ગયેલી બસમાંથી મુસાફરોને બચાવવા માટે કલાકો સુધી બચાવ કામગીરી ચાલી હતી.

મૃત્યુઆંક અને બચાવ કામગીરી

સશસ્ત્ર પોલીસ દળ (APF) ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 17 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 11 પુરુષો અને 6 મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં 24 થી 27 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં વિદેશી પ્રવાસીઓ અને એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે. અંધારું અને પહાડી વિસ્તાર હોવા છતાં સુરક્ષા એજન્સીઓએ રાત્રે જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું.

તપાસ અને દુર્ઘટનાના કારણો

ઘટનાસ્થળે નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને આપત્તિ વ્યવસ્થાપન યુનિટના ડાઇવર્સની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. જોકે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ વળાંક પર ચાલકે કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નેપાળમાં પહાડી રસ્તાઓ અને ખરાબ હવામાનને કારણે વારંવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે, પરંતુ આ દુર્ઘટનાએ ફરી એકવાર મુસાફરોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.