OpenAIનો પર્દાફાશ કરનાર સુચિર બાલાજીનો મળ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા

26 વર્ષીય સુચિર બાલાજી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમણે અગાઉ OpenAI ખાતે સંશોધક તરીકે કામ કર્યું હતું. તેમણે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) કંપની OpenAIનો પર્દાફાશ કર્યો હતો. સુચિરે આ કંપનીના સંચાલન અને કામ કરવાની રીત વિશે દુનિયાને ચેતવણી આપી હતી. તે શનિવારે તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
આત્મહત્યા કરી હોવાની આશંકા
રિપોર્ટ અનુસાર બાલાજીએ પોતાનું ઘર છોડ્યું ન હતું. તે મિત્રો અને સહકર્મીઓના ફોન કોલ્સનો પણ જવાબ આપતો ન હતો. આ પછી જ્યારે મિત્રો અને સહકર્મીઓ તેના ફ્લેટ પર પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે સાન ફ્રાન્સિસ્કો પોલીસને જાણ કરી. પોલીસ આવી અને દરવાજો તોડી અંદર ગઈ. ફ્લેટમાંથી બાલાજીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવી નથી. બાલાજીએ આત્મહત્યા કરી હોવાની આશંકા છે.
આ ઘટના 26 નવેમ્બરે બની હતી. તેના મોતનો મામલો હવે સામે આવ્યો છે. બાલાજીએ આત્મહત્યા OpenAI પર તેના જનરેટિવ AI પ્રોગ્રામ ChatGPTને ટ્રેન્ડ કરવા માટે યોગ્ય અધિકૃતતા વિના કોપીરાઈટ સામગ્રીનો ઉપયોગ કરવાનો જાહેરમાં આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ChatGPT જેવી ટેક્નોલોજી ઇન્ટરનેટને નુકસાન પહોંચાડી રહી છે.
બાલાજીએ ઓગસ્ટમાં OpenAIમાંથી રાજીનામું આપ્યું હતું.
આ પછી OpenAI પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લાગ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં બાલાજીએ કહ્યું હતું કે OpenAIમાં જે રીતે કામ થઈ રહ્યું છે તે ઈન્ટરનેટ ઈકોસિસ્ટમ માટે નુકસાનકારક છે. તે વ્યવસાયો અને વ્યક્તિઓ માટે પણ હાનિકારક છે જેમની સંમતિ વિના ડેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

