બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો કર્યો આદેશ

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને વિપક્ષી નેતા ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સોમવારે આદેશ આપ્યો કે જેલમાં બંધ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું અને તેમના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે.
એક અખબારી નિવેદન અનુસાર, વિરોધ પક્ષના સભ્યો સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક અખબારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શહાબુદ્દીને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાને તાત્કાલિક મુક્ત કરવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો છે.
ખાલિદા ઝિયા મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા છે અને તેમને શેખ હસીનાના કટ્ટર હરીફ માનવામાં આવે છે.

