VIDEO: મુરાદાબાદમાં 'ઓપરેશન શુદ્ધિકરણ': 2 લાખથી વધુ બોગસ મતદારોના નામ યાદીમાંથી કપાયા, રાજકીય પક્ષોમાં મિશ્ર પ્રતિસાદ!
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મતદાર યાદીના શુદ્ધિકરણની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.. એસઆઈઆર પ્રક્રિયા હેઠળ 2 લાખથી વધુ બોગસ મતદારોના નામ દૂર કરાતા રાજકીય પક્ષોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એસઆઈઆર પ્રક્રિયા દ્વારા મતદાર યાદીમાંથી 2 લાખથી વધુ બોગસ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.. જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર સિંહના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ શુદ્ધિકરણ ઝુંબેશને કારણે લોકશાહીમાં પારદર્શિતા વધશે.. સમાજવાદી પાર્ટીના જયવીર સિંહ, કોંગ્રેસના વિનોદ ગુંબર અને આમ આદમી પાર્ટીના શાન આલમ સહિતના રાજકીય નેતાઓએ આ પ્રક્રિયા પર સંતોષ વ્યક્ત કર્યો છે અને આગામી ચૂંટણીઓ પૂર્વે યાદીની વધુ સચોટ ચકાસણી કરવા પર ભાર મૂક્યો છે.

