VIDEO: બંગાળમાં મમતાનો 'ખેલ હોબે': "ભાજપ બંગાળના ટુકડા કરવા માંગે છે", સીમાંકન બિલ અને NRC મુદ્દે દીદીના ભાજપ પર પ્રહાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાએક મોટું કૌભાંડ છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી વચ્ચે સંસદમાં સીમાંકન બિલ લાવીને બંગાળને વિભાજિત કરવા અને એનઆરસીલાગુ કરવા માંગે છે.
બંગાળના કેશિયારી અને બાંકુરામાં ચૂંટણી રેલીઓને સંબોધતા મમતા બેનર્જીએ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન સીમાંકન બિલ લાવવામાં આવ્યુંછે. આની કોઈ ચર્ચા પણ થઈ નથી. તેનું કારણ એ છે કે તેઓ બંગાળને વિભાજિત કરવા અને અહીંNRC લાગુ કરવા માંગે છે. તેમણે વડાપ્રધાન મોદીની ટીકા કરી અને કહ્યું કે તેઓ ફક્ત ચૂંટણી દરમિયાન મોસમી પક્ષીની જેમ આવે છે જ્યારે પૂર કે આફતો વખતે નહિ.મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે એસઆઈઆરપ્રક્રિયામાં 90 લાખથી વધુ નામો કાઢી નાખવામાં આવ્યા છે અને આ ભાજપને સત્તામાં લાવવાનો પ્રયાસ છે. તેમણે સમાન નાગરિક સંહિતાનો પણ સખત વિરોધ કર્યો અને કહ્યું કે ભાજપ સત્તામાંથી બહાર આવ્યા પછી અમે આ બિલ રદ કરીશું.
જ્યાં સુધી તેઓ સત્તામાં છે ત્યાં સુધી મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ શક્ય નથી તેવો આરોપ લગાવ્યો. તેમણે ભાજપ શાસિત રાજ્યોમાં આદિવાસીઓ અને બંગાળી ભાષીઓ પર અત્યાચારના આરોપ પણ લગાવ્યા. મમતા બેનર્જીએ ભવાનીપુરથી પોતાની ઉમેદવારી રદ કરવા માટે ખોટા સોગંદનામાના પ્રયાસનો પણ ઉલ્લેખ કર્યો.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓનું મતદાન 23મી અને 29મી એપ્રિલ બે તબક્કામાં થશે, જ્યારે પરિણામ 4 મેના રોજ જાહેર થશે.

