VIDEO: ગીરમાં ક્વોરેન્ટાઈન 17 સિંહોમાંથી 12 સિંહોને સ્વસ્થ થયા બાદ મુક્ત કરવામાં આવ્યા
સોર્સ : GSTV
ગીરમાં સિંહોમાં CDV અને બેબેસીયા જેવા રોગોથી મોતના મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં 8 સિંહબાળના મૃત્યુથી ચિંતા જાગી હતી. 17 બીમાર સિંહોને ક્વોરેન્ટાઈન કરીને સારવાર આપવામાં આવી હતી. તેમાંથી 12 સિંહોને સ્વસ્થ થયા બાદ મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે 5 સિંહો હજુ નિરીક્ષણ હેઠળ છે અને ટૂંક સમયમાં છોડવામાં આવશે. વનમંત્રીએ જણાવ્યું કે 600 સિંહોને ડીવોર્મિંગ કરવામાં આવ્યા છે. તાજેતરમાં કોઈ વાયરસ કે રોગથી મોત નીપજ્યું નથી. લુવારીયામાં એક ગર્ભવતી સિંહણનું મોત અન્ય કારણોસર થયું હોવાની સંભાવના છે.

