Solar Eclipse 2024 / પક્ષીઓ અને છોડ પર સૂર્યગ્રહણની કેવી અસર થાય છે? વૈજ્ઞાનિકોએ કર્યો આ ખુલાસો

વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલે થવા જઈ રહ્યું છે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ પશ્ચિમ યુરોપ પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાનો ઉત્તરીય ભાગ, કેનેડા, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ પ્રદેશ અને આયર્લેન્ડમાં દેખાશે. જ્યારે ચંદ્ર અવકાશમાં સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે, ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે. આ સમયે દિવસ દરમિયાન અંધારું થઈ જાય છે અને તાપમાનમાં ઘટાડો થાય છે.
સૂર્યગ્રહણ દરમિયાન પ્રાણીઓ અને છોડ પણ વિચિત્ર વર્તન કરે છે. 1851માં એવું જોવામાં આવ્યું હતું કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક લઈ જતી કીડીઓનું ટોળું રોકાઈ ગયું હતું અને સૂર્ય ફરી દેખાયો પછી આગળ વધ્યું હતું. હવે વૈજ્ઞાનિકોએ ગ્રહણ દરમિયાનની અસરો વિશે અભ્યાસ કર્યો છે. ચાલો જાણીએ સૂર્યગ્રહણની પક્ષીઓ અને છોડ પર શું અસર પડે છે?
વર્ષ 2017માં પણ અમેરિકામાં પૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું. તે સમયે અભ્યાસ દરમિયાન સંશોધકોને ખબર પડી કે જંતુઓ, પક્ષીઓ અને છોડ આ દરમિયાન સામાન્ય રીતે રાત્રે જેવું વર્તન કરતા હોય છે તેવું વર્તન કરી રહ્યા હતા. ગ્રહણ દરમિયાન આગિયાઓ ચમકવા લાગ્યા અને પ્રાણી સંગ્રહાલયની અંદરના પ્રાણીઓ ચિંતા અથવા મૂંઝવણના ચિહ્નો દર્શાવતા હતા. પરંતુ વૈજ્ઞાનિકો તમામ પ્રાણીઓ પર ગ્રહણની અસરની પુષ્ટિ કરી શકતા નથી. ગ્રહણ દરમિયાન પક્ષીઓ શાંત જોવા મળે છે, પરંતુ તેમાં અપવાદો છે.
પક્ષીઓ અને જંતુઓ પર આવી અસર જોવા મળી હતી
2017માં પૂર્ણ ગ્રહણની 50 મિનિટ પહેલાં અને 50 મિનિટ પછી જંતુઓ અને પક્ષીઓનું નિરીક્ષણ કરતા સંશોધકોએ જોયું કે આકાશ સંપૂર્ણપણે શાંત થઈ ગયું હતું.
સંશોધકોએ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે આ જંતુઓ હોઈ શકે છે, જે રાત્રે પ્રતિક્રિયા આપે છે. વર્ષ 2024માં 8 એપ્રિલે થનારા સૂર્યગ્રહણ દરમિયાન વૈજ્ઞાનિકોને તેની અસરોને સમજવામાં વધુ મદદ મળશે. ગ્રહણ સમયે પક્ષીઓની સાથે મધમાખીઓ પણ તેમના મધપૂડામાં પાછા ફરવાનું શરૂ કરે છે.

