VIDEO: IND vs SL / કુલદીપ યાદવને તક મળશે કે નહીં? કોલંબો ટેસ્ટ પહેલા સ્પિન કોચે આપ્યું નિવેદન
ભારતીય ટીમે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં પહેલી મેચ 165 રનથી જીત મેળવીને 1-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા હવે 23 ઓગસ્ટે કોલંબોના SSC ગ્રાઉન્ડ પર સિરીઝની બીજી અને અંતિમ મેચ રમશે, જેમાં કુલદીપ યાદવના સ્થાન અંગે અનિશ્ચિતતા છે, તે પહેલી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. કોલંબો પહોંચ્યા પછી, ભારતીય ટીમે 21 ઓગસ્ટે SSC ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી. આ પછી, ભારતીય ટીમના સ્પિન બોલિંગ કોચ, સાઈરાજ બહુતુલેએ એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી કે ટીમ મેનેજમેન્ટને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તે તેની યોજનાઓનો ભાગ છે.
ગોલમાં પરિસ્થિતિઓ અલગ હતી
કોલંબો ટેસ્ટ પહેલા બે દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમના સ્પિન બોલિંગ કોચ, સાઈરાજ બહુતુલેએ કુલદીપ યાદવ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે કુલદીપ શાનદાર બોલિંગ કરી રહ્યો હતો અને ગોલમાં પરિસ્થિતિઓ અલગ હતી. તેણે અલગ ભૂમિકા ભજવવી પડી. કુલદીપ હંમેશા મેચ વિનર બોલર રહ્યો છે અને ટીમની યોજનાઓનો ભાગ છે. બધા સ્પિનર્સને સોફ્ટ બોલથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે, લેફ્ટ આર્મ સ્પિનર્સ અને ઓફ-સ્પિનર્સ તેમની આંગળીઓથી બોલને નિયંત્રિત કરી શકે છે, જેનાથી તેમના માટે સરળતા રહે છે. લેગ-સ્પિનર્સને સોફ્ટ બોલથી બોલિંગ કરવી વધુ મુશ્કેલ લાગે છે કારણ કે સીમ નીચે જતી રહે છે. કાંડા-સ્પિનર્સને સોફ્ટ બોલથી બોલિંગ કરવી વધુ પડકારજનક લાગે છે. આનાથી ઈચ્છિત સ્પિન અને બાઉન્સ મેળવવાનું પડકારજનક બને છે. એક જ મેચના પ્રદર્શનના આધારે બોલરનો નિર્ણય નથી કરી શકાતો.
સુથાર બોલને સારી રીતે ફેરવે છે
ગોલ ટેસ્ટમાં 10 વિકેટ લેનારા સ્પિન બોલર માનવ સુથારનો ઉલ્લેખ કરતા સાઈરાજ બહુતુલેએકહ્યું, "તે બોલને સારી રીતે ફેરવે છે અને અમારા માટે ખૂબ જ વિશ્વસનીય બોલર છે. તે સતત અમે ઈચ્છીએ છીએ તે લાઈન પર બોલિંગ કરે છે, અને અમે તેની બોલિંગમાં સતત સુધારો જોઈ રહ્યા છીએ." ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે દાવેદારી જાળવી રાખવા માટે આ મેચ મહત્ત્વપૂર્ણ છે.

