Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Why was Kuldeep Yadav left out of the playing eleven for the 2nd Test

IND vs SL / બીજી ટેસ્ટ માટે કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી કેમ બહાર રાખવામાં આવ્યો? ભારતીય કેપ્ટને જણાવ્યું કારણ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
IND vs SL / બીજી ટેસ્ટ માટે કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી કેમ બહાર રાખવામાં આવ્યો? ભારતીય કેપ્ટને જણાવ્યું કારણ
સોર્સ : gstv

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ કોલંબોમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે અને હવે બીજી મેચ જીતીને સિરીઝ પર કબજો કરવાનું લક્ષ્ય રાખશે. બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે, તેની જગ્યાએ સારાંશ જૈનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગિલે કુલદીપને બહાર કરવા પાછળનું મુખ્ય કારણ જણાવ્યું છે.

App Store

કુલદીપ યાદવને કેમ બહાર રાખવામાં આવ્યો?

કેપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટ માટે ટોસ માટે મેદાનમાં આવ્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ગિલે જણાવ્યું કે કુલદીપ યાદવને ઇન્ફેક્શન છે, જેના કારણે તે ઉપલબ્ધ નથી. ગિલે કહ્યું, "કુલદીપ યાદવને કોઈ પ્રકારનો ઇન્ફેક્શન છે. તેથી જ તે મેચ નથી રમી રહ્યો. સારાંશ જૈન તેની જગ્યાએ ડેબ્યુ કરશે."

BCCI અપડેટ

કુલદીપ યાદવને બહાર રાખ્યા બાદ, BCCIએ હવે સત્તાવાર રીતે અપડેટ શેર કર્યું છે. BCCIએ જણાવ્યું હતું કે વાયરલ ઇન્ફેક્શનને કારણે યાદવની તબિયત સારી નથી. આ જ કારણ છે કે તે પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી માટે ઉપલબ્ધ નહતો. BCCIએ સ્પષ્ટતા કરી હતી કે કુલદીપ કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે રમવા માટે ઉપલબ્ધ રહેશે. આનો સીધો અર્થ એ છે કે જો જરૂર પડે તો તે ફિલ્ડિંગ લઈ શકે છે. તેની ખરાબ તબિયતને કારણે, મેનેજમેન્ટ કુલદીપ સાથે કોઈ જોખમ લેવા નહતું માંગતું, અને તેથી, તેને આરામ આપવાનું શ્રેષ્ઠ માનવામાં આવ્યું હતું.

સારાંશ જૈનને તક આપવામાં આવી

33 વર્ષીય સારાંશ જૈન ઘણા વર્ષોથી મધ્યપ્રદેશ માટે સ્થાનિક ક્રિકેટ રમી રહ્યો છે. તેનો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ઉત્તમ રેકોર્ડ છે. આ જ કારણે વોશિંગ્ટન સુંદરની ઈજાને કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સારાંશ ઓફ-સ્પિન બોલિંગ કરે છે અને બેટિંગનો વિકલ્પ પણ પૂરો પાડે છે. આ જ કારણે તેને કુલદીપ યાદવની જગ્યાએ રમવાની તક આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયા પાસે હવે નવમા નંબર સુધી બેટિંગના વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

બીજી ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, માનવ સુથાર, સારાંશ જૈન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.