VIDEO: MI vs RCB / મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા વિરાટ કોહલી અને રોહિત શર્મા, મેદાન છોડી બહાર જવું પડ્યું
IPL 2026ની 20મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈ અને બેંગલુરુ બંનેના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમણે ઈજાને કારણે મેદાન છોડવું પડ્યું હતું. RCB સ્ટાર વિરાટ કોહલીએ બીજી ઈનિંગમાં પગની ઘૂંટીમાં ઈજાને કારણે ફિલ્ડિંગ નહતી કરી. જ્યારે રોહિત શર્માને રન ચેઝમાં બેટિંગ કરતી વખતે હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તે રિટાયર્ડ હર્ટ થયો હતો.
કોમેન્ટેટર વિરાટ કોહલી વિશે માહિતી આપી
કોમેન્ટેટર સાઈમન ડોલે વિરાટ કોહલી વિશે માહિતી શેર કરતા જણાવ્યું હતું કે તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે અને તે આ ઈજાને કારણે ફિલ્ડિંગ નથી કરી રહ્યો. આ દરમિયાન, રોહિત શર્માને બેટિંગ કરતી વખતે હેમસ્ટ્રિંગમાં તકલીફનો અનુભવ થયો હતો. પાંચમી ઓવરમાં રન લેતી વખતે તેને ઈજા થઈ હતી. તે 13 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 19 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે તેને રિટાયર્ડ હર્ટ કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવ તેના સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો.
IPL 2026 માં વિરાટ અત્યાર સુધી સારા ફોર્મમાં જોવા મળ્યો છે
વિરાટ કોહલીની ઈજા RCB માટે મોટો ઝટકો છે. વિરાટ કોહલી આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તેણે અત્યાર સુધી 4 મેચ રમી છે, અને ચારેયમાં સારી બેટિંગ કરી છે. IPL 2026માં, તેણે 4 મેચમાં 59.66ની એવરેજથી 179 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 69 રન છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં પણ 50 રન બનાવ્યા હતા, પરંતુ તેણે તેના માટે 38 બોલનો સામનો કર્યો હતો. આવી સ્થિતિમાં RCB ટીમ અને તેના ફેન્સ આશા રાખશે કે તેની ઈજા ખૂબ ગંભીર ન હોય અને તે આગામી મેચ પહેલા ફિટ થઈ જાય.
રોહિત શર્મા પણ આ સિઝનમાં સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે
રોહિત શર્માની ઈજા મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ મોટો ઝટકો છે. રોહિતે આ IPLમાં પણ કેટલીક સારી ઈનિંગ્સ રમી છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી 4 ઇનિંગ્સમાં 45.66 ની સરેરાશથી 137 રન બનાવ્યા છે. રોહિતની ઈજાની વિશે હજુ કોઈ માહિતી નથી આવી. ફેન્સ આશા રાખશે કે તે જલ્દીથી સ્વસ્થ થઈને મેદાનમાં પાછો ફરે.

