Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This Pakistani player may retire from ODIs

પાકિસ્તાનનો આ ખેલાડી વનડેમાંથી લઈ શકે છે નિવૃત્તિ, ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થતાં થયો હતાશ

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાનનો આ ખેલાડી વનડેમાંથી લઈ શકે છે નિવૃત્તિ, ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થતાં થયો હતાશ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાલમાં પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહી છે. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડની ટીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ટીમને વધુ એક મોટો ફટકો પડવાનો છે.

App Store

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટાર ઓપનર ફખર ઝમાન ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. આ અંગે પરિવાર સાથે પણ વાત કરી છે. તે પોતાના પરિવાર સાથે દેશ છોડવાનું પણ વિચારી રહ્યો છે. 34 વર્ષીય ફખર ઝમાન ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ જતાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી શક્યો ન હતો. 

ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરશે

ફખર ઝમાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાની ટીમમાં સ્થાન મળ્યું. તેણે ટુર્નામેન્ટની શરૂઆતની મેચ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. આ મેચમાં તેણે 24 રન બનાવ્યા બાદ ઈજાગ્રસ્ત થતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. હવે તે વનડેમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શનને જોઈને તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ છે. નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે તેણે આ અંગે પરિવાર સાથે વાત કરી છે અને ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરશે.

વન ડેમાં બેવડી સદી ફટકારી

'ચેમ્પિયન્સ ટ્રોફી મારી છેલ્લી ICC ટુર્નામેન્ટ હશે. હું ODI ક્રિકેટમાંથી વિરામ લેવા માંગુ છું. એવું કહેવાય છે કે ફખર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે પણ આ નિર્ણય લેવા માંગે છે. ફખરે પાકિસ્તાન ટીમ માટે અત્યાર સુધીમાં 3 ટેસ્ટ મેચ રમતા 192 રન બનાવ્યા છે. જ્યારે  ૮૬ વનડે મેચમાં ૪૬.૨૧ ની સરેરાશથી ૩૬૫૧ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેણે અણનમ બેવડી સદી પણ ફટકારી. તેનો શ્રેષ્ઠ સ્કોર 210 રન અણનમ છે. ફખરે વનડેમાં ૧૧ સદી ફટકારી છે. પાકિસ્તાની ઓપનર ફખરે 92 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમતા 1848 રન બનાવ્યા હતા.

નિવૃત્તિ માટે ઉતાવળ ન કરો: PCB

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ફખર ઝમાનને સલાહ આપી છે. બોર્ડે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયમાં ઉતાવળ ન કરવાની અને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની સલાહ આપી છે.