IND vs ENG / ટેસ્ટ સિરીઝમાં થઈ આ ખેલાડીની વાપસી, IPL 2025માં થયો હતો બેન

20 જૂનથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. હવે ટેસ્ટ સિરીઝમાં એક અનુભવી ખેલાડી વાપસી કરવા જઈ રહ્યો છે. આ અનુભવી ખેલાડીનું નામ ઈરફાન પઠાણ છે, જેના પર IPL 2025માં બેન મૂકવામાં આવ્યો હતો. પઠાણે વર્ષ 2020માં જ પોતાની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી દીધું હતું, ત્યારબાદ તેણે કોમેન્ટ્રીને પોતાનો વ્યવસાય બનાવી લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે પોતાની અંગત દુશ્મનાવટને કોમેન્ટ્રી બોક્સમાં લાવીને કેટલાક ખેલાડીઓ વિરુદ્ધ બોલી રહ્યો હતો. ત્યારબાદ પઠાણે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેના પર તે ખૂબ જ સક્રિય રહ્યો છે.
ઈરફાન પઠાણ માટે સારા સમાચાર એ છે કે તેને ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. તમને જણાવી દઈએ કે ઈરફાન પઠાણ ઉપરાંત, આશિષ નેહરા, સબા કરીમ, વિવેક રાજદાન, આરપી સિંહ અને અજય જાડેજાને હિન્દી કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિરીઝ ફક્ત ઈરફાન પઠાણ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ટીમ માટે યાદગાર બનવાની છે કારણ કે શુભમન ગિલ પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવા માટે મેદાનમાં ઉતરશે.
આ ટેસ્ટ સિરીઝ માટે સુનીલ ગાવસ્કર, માઈકલ વોન, હર્ષા ભોગલે, ચેતેશ્વર પૂજારા અને નાસિર હુસૈનને પણ અંગ્રેજી કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચની ટેસ્ટ સિરીઝ 20 જૂનથી શરૂ થશે. 31 જુલાઈથી છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. આ સિરીઝથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-2027 સાયકલની શરૂઆત થશે.
ઈરફાન પઠાણની કારકિર્દી
ઈરફાન પઠાણે પોતાની સ્વિંગ બોલિંગના બળ પર ભારતીય ટીમને ઘણી ઐતિહાસિક જીત અપાવી છે. તેણે 120 ODI મેચોની કારકિર્દીમાં 1,544 રન બનાવ્યા અને 173 વિકેટ પણ લીધી. જ્યારે તેની 29 મેચની ટેસ્ટ કારકિર્દીમાં, તેણે 100 વિકેટ અને 1,105 રન બનાવ્યા છે. તેણે 24 T20I મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં તેણે 28 વિકેટ લીધી હતી.

