Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shreyas Iyer gave importance to the team before the century in IPL 2025

શ્રેયસ અય્યરનો મેસેજ પંજાબની જીતનું બન્યો કારણ, 3 રન બાકી છતાં સદી પહેલા ટીમને આપ્યું મહત્ત્વ

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2025
લાઇવ ટીવીGoogle News
શ્રેયસ અય્યરનો મેસેજ પંજાબની જીતનું બન્યો કારણ, 3 રન બાકી છતાં સદી પહેલા ટીમને આપ્યું મહત્ત્વ

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું છે. પંજાબે IPL 2025ની પાંચમી મેચમાં પ્રથમ બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 232 રન જ બનાવી શકી હતી. પંજાબ માટે શ્રેયસ અય્યરે સારી ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે અણનમ 97 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે અંતિમ ઓવરમાં સાથી ખેલાડી શશાંક સિંહને એક વાત કરી હતી જેનો ફાયદો ટીમને થયો હતો.

App Store

 શશાંકે કર્યો ખુલાસો

પંજાબ કિંગ્સે 19 ઓવરમાં 220 રન બનાવી લીધા હતા. ટીમ માટે શ્રેયસ અય્યર અને શશાંક સિંહ બેટિંગ કરી રહ્યાં હતા. અય્યર 97 રન બનાવીને રમતો હતો. જ્યારે શશાંક 22 રને રમતો હતો. અય્યરે અંતિમ ઓવર પહેલા શશાંકને કહ્યું હતું કે મારી સદીની ચિંતા ના કરો. આ વાતનો ખુલાસો ખુદ શશાંકે કર્યો છે. શશાંકે કહ્યું, "શ્રેયસે મન કહ્યું ક આક્રમક થઇને રમો, તેને અંતિમ ઓવર શરૂ થયા પહેલા કહ્યું કે પુરુ જોર લગાવી દો.'

અય્યરના મેસેજનો પડ્યો ફરક

પંજાબ કિંગ્સે અંતિમ ઓવરમાં 23 રન બનાવ્યા હતા. શશાંક સિંહે પાંચ ફોર ફટકારી હતી. આ સાથે એક વખત ડબલ રન પણ લીધા હતા. પંજાબની જીતના અંતરને જોઇએ તો તેને આ મેચ 11 રને જીતી લીધી હતી. અય્યરના મેસેજ બાદ શશાંકે વધુ ખુલીને રમવાનું શરૂ કર્યું હતું. જો આ ઓવરમાં 23 રન ના બન્યા હોત તો પંજાબ માટે જીત મુશ્કેલ બની ગઇ હોત.