Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Obstruction of Team India's departure to Japan The big problem for the team know what the whole matter is

ટીમ ઈન્ડિયાના જાપાન રવાના થવામાં અવરોધ! ટીમની કિટે ઉભી કટી મોટી સમસ્યા; જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ટીમ ઈન્ડિયાના જાપાન રવાના થવામાં અવરોધ! ટીમની કિટે ઉભી કટી મોટી સમસ્યા; જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે સવારે એશિયન ગેમ્સ 2026 માટે જાપાન રવાના થવાની છે, પરંતુ વિલંબ થવાની શક્યતા નકારી ન શકાય. આનું કારણ જર્સીનો મુદ્દો છે. ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓને હજુ સુધી તેમની યોગ્ય જર્સી સાઈઝ નથી મળી અને આનાથી શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ટીમના રવાના થવામાં વિલંબ થઈ શકે છે.

App Store

ભારતે તાજેતરમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 સિરીઝ રમી હતી, જેમાં 3-0થી જીત મેળવી હતી. આ પછી, ટીમ જાપાન જવા રવાના થવાની હતી, જ્યાં એશિયન ગેમ્સ આઈચી-નાગોયામાં યોજાઈ રહી છે. ટીમ ઈન્ડિયા તેના ગોલ્ડ મેડલનો બચાવ કરશે, જે તેણે ગયા વખતે જીત્યો હતો.

વાતચીત ચાલી રહી છે

સમાચાર એજન્સી PTI અનુસાર, જર્સીના કદના મુદ્દા અંગે BCCI JSW સાથે સતત વાતચીત કરી રહ્યું છે. જ્યારે ઘણા ખેલાડીઓની સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે અને તેમને તેમના સાચા નંબરની જર્સી મળી ગઈ છે, ત્યારે કેટલાક ખેલાડીઓને હજુ પણ તેમની યોગ્ય નંબરની જર્સી નથી મળી, જેના કારણે ટીમના રવાના થવામાં વિલંબ થઈ શકે છે. ટીમ રવિવારે સવારે જાપાન જવા રવાના થવાની છે, તે સમયસર રવાના થઈ શકશે કે નહીં તે જોવાનું બાકી છે.

ભારતે જાપાનમાં બે જર્સી પહેરવી પડશે કારણ કે તે એક મેચ જાપાનની ટીમ સામે રમશે, જે એશિયન ગેમ્સનો ભાગ નથી. ટીમ ઈન્ડિયા આ મેચ માટે તેની નિયમિત જર્સી પહેરશે. 28 સપ્ટેમ્બરથી શરૂ થતી તેની એશિયન ગેમ્સ મેચ બાદ, તે બીજી જર્સી પહેરશે. આ જર્સી ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રાયોજક JSW દ્વારા પૂરી પાડવામાં આવશે.

સમસ્યા આવી છે

આ પહેલી ઘટના નથી જ્યાં કિટની સમસ્યાઓએ ખેલાડીઓને મુશ્કેલીમાં મુક્યા હોય. કિટમાં વિલંબને કારણે તેજિન્દરપાલ સિંહ તૂર સમયસર જાપાન ન પહોંચી શક્યો, જેના કારણે ભારતે પોતાનો ધ્વજધારક બદલવો પડ્યો. ઉદઘાટન સમારોહમાં તૂર અને મનુ ભાકરને આ જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તૂરને તેની સત્તાવાર કીટ નથી મળી, જેના કારણે તે સમયસર જાપાન ન પહોંચી શક્યો. છેલ્લી ઘડીએ, કબડ્ડી ખેલાડી પવન સેહરાવતને તેના સ્થાને અંતિમ પસંદગી કરવામાં આવ્યો હતો.