Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / IPL 2025 : When will the new schedule of IPL 2025 be announced

ક્યારે જાહેર થશે IPL 2025નું નવું શેડ્યૂલ? જાણો હજુ કેટલી મેચ બાકી

Timeછેલ્લું અપડેટ : 09 May 2025
લાઇવ ટીવીGoogle News
ક્યારે જાહેર થશે IPL 2025નું નવું શેડ્યૂલ? જાણો હજુ કેટલી મેચ બાકી

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, BCCI એ IPLની 18મી સિઝન એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધી છે. ટૂર્નામેન્ટમાં 57 મેચ સફળતાપૂર્વક રમાઈ હતી, જ્યારે 58મી મેચ સુરક્ષાના કારણોસર અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. હવે BCCI બાકીની મેચ ક્યારે અને ક્યાં રમાશે તેની તારીખો અને સ્થળોની જાહેરાત કરશે. 

App Store

IPL 2025ના લીગ સ્ટેજમાં હજુ 13 મેચ બાકી છે, જેમાં ગુરુવારે સસ્પેન્ડ થયેલી પંજાબ અને દિલ્હીની મેચનો પણ સમાવેશ થાય છે. 10માંથી 3 ટીમો સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે જ્યારે એવી કોઈ ટીમ નથી જેની પ્લેઓફ ટિકિટ કન્ફર્મ થઈ હોય. 58 મેચો પછી, ગુજરાત ટાઈટન્સ (GT)અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 16-16 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે.

પંજાબ કિંગ્સ (PBKS) 15 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. પ્લેઓફની રેસમાં સામેલ દિલ્હી (13 પોઈન્ટ), કેકેઆર (11 પોઈન્ટ) અને લખનૌ (10 પોઈન્ટ) અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા સ્થાને છે.

IPL 2025નું નવું શેડ્યુલ ક્યારે જાહેર થશે?

લીગ સ્ટેજમાં IPL સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. હવે બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. એક વિકલ્પ એ છે કે બાકીની મેચો ખાલી સ્ટેડિયમમાં યોજવી, તેને સ્થાનાંતરિત પણ કરી શકાય છે. જોકે, BCCI આ સમયે ઉતાવળમાં નિર્ણય નહીં લે.

IPL 2025માં કઈ ટીમોની હજુ પણ મેચ બાકી છે?

  • 58 - PBKS vs DC
  • 59 - LSG vs RCB
  • 60 - SRH vs KKR
  • 61 - PBKS vs MI
  • 62 - DC vs GT
  • 63 - CSK vs RR
  • 64 - RCB vs SRH
  • 65 - GT vs LSG
  • 66 - MI vs DC
  • 67 - RR vs PBKS
  • 68 - RCB vs KKR
  • 69 - GT vs CSK
  • 70 - LSG vs SRH

કઈ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે?

હજુ સુધી કોઈ પણ ટીમ સત્તાવાર રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય નથી થઈ. કુલ 7 ટીમોની આશા હજુ જીવંત છે.

કઈ ટીમો પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે?

કુલ 3 ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પછી રાજસ્થાન રોયલ્સ (RR) બહાર થઈ. તે પછી સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ હતી.

આ વર્ષે IPL 2025 અને PSL 2025 એક જ વિંડોમાં રમાઈ રહ્યા હતા. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL 22 માર્ચથી શરૂ થઈ હતી. જ્યારે PSL 11 એપ્રિલથી શરૂ થઈ હતી. IPL મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ, ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, જેસન હોલ્ડર, રાસી વાન ડેર ડુસેન જેવા ખેલાડીઓએ PSL પસંદ કર્યું. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, PSLનું આયોજન પણ પાકિસ્તાનમાં બંધ કરી દેવામાં આવ્યું છે અને તેને દુબઈ ખસેડવામાં આવ્યું છે.

ભારત-પાકિસ્તાન વિવાદ ક્યાંથી શરૂ થયો?

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલા બાદ દેશભરમાં ગુસ્સો ફેલાયો હતો અને પાકિસ્તાન પાસેથી બદલો લેવાની માંગ કરવામાં આવી હતી. આ પછી, ઓપરેશન સિંદૂર હેઠળ, 7 મેના રોજ, ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જ્યાંથી ભારતમાં આતંકવાદ ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ પછી, પાકિસ્તાની સૈનિકોએ ભારત પર ડ્રોનથી હુમલો કર્યો, જેનો ભારતીય સેનાએ જવાબ આપ્યો અને તેમને ઠાર કર્યા. હવે આવી તંગ પરિસ્થિતિમાં, BCCI નથી ઈચ્છતું કે IPL 2025 ચાલુ રહે.