Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India won last match of test series against england

IND vs ENG / ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ
સોર્સ : GSTV

ઓવલના ઐતિહાસિક મેદાન પર ટીમ ઈન્ડિયાએ પોતાની જીતની વધુ એક યાદગાર વાર્તા ઉમેરી છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગના બળ પર, ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ પાસેથી વિજય જીત લીધી અને ઓવલ ટેસ્ટ 6 રનથી જીતી લીધી. સિરાજે બીજી ઈનિંગમાં 5 વિકેટ સહિત મેચમાં 9 વિકેટ લીધી અને ટીમ ઈન્ડિયાની જીતનો સ્ટાર બન્યો. આ સાથે, શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ચાર મેચમાં પાછળ રહ્યા બાદ 2-2થી ડ્રો સાથે તેનો અંત કર્યો.

App Store

ઓવલ ટેસ્ટનો છેલ્લો દિવસ

ઓવલ ખાતે છેલ્લા દિવસે, ઈંગ્લેન્ડને 35 રનની જરૂર હતી અને ભારતને 4 વિકેટની જરૂર હતી. પાંચમા દિવસની પહેલી ઓવરમાં જ, ઓવરટને 2 ચોગ્ગા ફટકારીને ઈંગ્લેન્ડ માટે મજબૂત શરૂઆત કરી, પરંતુ બીજી ઓવરમાં સિરાજે જેમી સ્મિથને પવેલિયનમાં પાછો મોકલીને મેચને રોમાંચક બનાવી દીધી. ત્યારબાદ સિરાજે ઓવરટનને પણ પવેલિયનમાં મોકલ્યો અને ટીમ ઈન્ડિયાને જીતની ખૂબ નજીક લાવી દીધી.

આ પછી પ્રસિદ્ધ કૃષ્ણાનો વારો આવ્યો, જેણે જોશ ટંગને ક્લીન બોલ્ડ કરીને ઈંગ્લેન્ડની 9મી વિકેટ લીધી. આ પછી, ગસ એટકિન્સન અને ક્રિસ વોક્સ, જે એક હાથે બેટિંગ કરવા આવ્યો હતો, તેણે સાથે મળીને ઈંગ્લેન્ડને લક્ષ્યની નજીક પહોંચાડ્યું, પરંતુ અંતે સિરાજે એટકિન્સનને ક્લીન બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને 367 રનમાં ઓલઆઉટ કરી દીધું અને ટીમ ઈન્ડિયાને યાદગાર જીત અપાવી. આ સાથે, ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રોમાં સમાપ્ત થઈ. ઉપરાંત, સિરાજે સિરીઝમાં સૌથી વધુ 23 વિકેટ લીધી.

આ પહેલા મેચના ચોથા દિવસે, ઈંગ્લેન્ડે 1 વિકેટ ગુમાવીને 50 રનથી  પોતાની ઈનિંગ શરૂ કરી હતી. તેની પાસે હજુ પણ જીત માટે 324 રન બનાવવાનો પડકાર હતો, જ્યારે ટીમ ઈન્ડિયાને 8 વિકેટની જરૂર હતી કારણ કે ક્રિસ વોક્સ પહેલા દિવસે જ ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયો હતો. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પહેલા સેશનમાં જ બેન ડકેટ અને ઓલી પોપને આઉટ કરીને ટીમ ઈન્ડિયાની આશાઓ વધારી હતી.

ઈંગ્લેન્ડે ફક્ત 106 રનમાં 3 વિકેટ ગુમાવી હતી અને અહીંથી જો રૂટને હેરી બ્રુકનો સાથ મળ્યો. બંનેએ આગામી 3 કલાક સુધી ટીમ ઈન્ડિયા પર જોરદાર એટેક કર્યો અને 195 રનની શાનદાર પાર્ટનરશિપ કરીને ઈંગ્લેન્ડને જીતની નજીક પહોંચાડ્યું. જોકે, 35મી ઓવરમાં મોહમ્મદ સિરાજે ભૂલ ન કરી હોત તો પરિસ્થિતિ અલગ હોત. પ્રસિદ્ધ કૃષ્ણના બોલ પર સિરાજે બ્રુકનો કેચ પકડ્યો પરંતુ તેનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી ગયો. તે સમયે બ્રુક 19 રન પર હતો, જ્યારે ઈં'ગ્લેન્ડનો સ્કોર 137 રન હતો.

બ્રુકે આનો ફાયદો ઉઠાવ્યો અને તેની 10મી ટેસ્ટ સદી ફટકારી. આ સિરીઝમાં આ તેની બીજી સદી હતી. જ્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 300 રનને પાર કરી ગયો, ત્યારે આકાશદીપે દ્વારા બ્રુકને આઉટ કર્યો. પછી થોડા જ સમયમાં જો રૂટે સિરીઝમાં તેની ત્રીજી સદી અને તેની કારકિર્દીની 39મી સદી પણ ફટકારી. તેની સદી સમયે, ઈંગ્લેન્ડ સરળતાથી જીત તરફ આગળ વધી રહ્યું હતું.

પરંતુ પછી સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ઘાતક રિવર્સ સ્વિંગ અને બાઉન્સથી પરેશાન કરવાનું શરૂ કર્યું અને તેની અસર જોવા મળી. પ્રસિદ્ધ કૃષ્ણાએ સતત બે ઓવરમાં જેકબ બેથેલ અને પછી રૂટને આઉટ કર્યા. અચાનક, ઈંગ્લેન્ડનો સ્કોર 332/4થી 337/6 થઈ ગયો અને ટીમ ઈન્ડિયા જીતની નજીક આવી. જોકે, વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી અને અમ્પાયરે ચોથા દિવસેને સ્ટમ્પ જાહેર કર્યો અને મેચ પાંચમા દિવસ સુધી ગઈ.