VIDEO: IND vs ENG / ત્રીજી ODIમાં થશે કેએલ રાહુલ અને કુલદીપ યાદવની વાપસી, આ બે ખેલાડીના પત્તા કપાશે
રવિવારે લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ODI મેચ મહત્ત્વપૂર્ણ રહેશે. સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. આ મેચ જીતનાર ટીમ સિરીઝ પણ જીતશે. T20 સિરીઝ હાર્યા બાદ ભારત ODI સિરીઝ પણ ગુમાવવા માંગશે નહીં. કેપ્ટન શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીરે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે.
બધાની નજર આ મેચ પર છે કારણ કે તે રોહિત શર્માની કારકિર્દીની છેલ્લી મેચ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે BCCI સચિવે આ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે, અટકળોને ધ્યાનમાં રાખીને, મેચ પૂરી ન થાય ત્યાં સુધી ફેન્સને રાહત નહીં આવે.
રાહુલ પાછો ફરશે
કાર્ડિફમાં બીજી ODIમાં ભારતને એક ફેરફાર કરવાની ફરજ પડી હતી. કેએલ રાહુલ બીમાર પડ્યો અને તેની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. જો રાહુલ સ્વસ્થ થઈ જાય, તો તેનું રમવું ચોક્કસ છે, અને ઈશાનને બહાર રાખવામાં આવશે. બેટિંગ વિભાગમાં અન્ય કોઈ ફેરફારની અપેક્ષા નથી. રોહિત અને ગિલ ઈનિંગની શરૂઆત કરશે તે નિશ્ચિત છે, ફોર્મમાં ચાલી રહેલો વિરાટ કોહલી ત્રીજા નંબરે હશે. ત્યારબાદ શ્રેયસ અય્યરનો નંબર આવશે. આગામી ત્રણ સ્થાનો રાહુલ, અક્ષર પટેલ અને શિવમ દુબે વચ્ચે બદલાશે.
કુલદીપની વાપસી
ગિલ અંતિમ મેચમાં તેના અનુભવી સ્પિનર કુલદીપ યાદવને તક આપી શકે છે. કુલદીપની ગેરહાજરી ટીમ માટે ઝટકો છે. કુલદીપ વિકેટ લેવામાં અને મિડલ ઓવર્સમાં રન મર્યાદિત કરવામાં પણ માહિર છે. વોશિંગ્ટન સુંદર જે અત્યાર સુધી તેની જગ્યાએ રમી રહ્યો છે, તેણે બેટથી કે બોલથી પ્રભાવિત નથી કર્યા. તેને બીજી મેચમાં એક પણ ઓવર નહતી આપવામાં આવી. જો કુલદીપ આવે છે, તો કાગળ પર બેટિંગ ડેપ્થ ઓછી હશે, પરંતુ વાસ્તવમાં બોલિંગ વધુ મજબૂત હશે.
ભારતના સંભવિત પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાર, જસપ્રીત બુમરાહ.

