Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Big blow in IPL trading: Will Hardik Pandya leave Mumbai Indians? KKR offers him the captaincy!

VIDEO : IPL ટ્રેડિંગમાં મોટો ધડાકો: હાર્દિક પંડ્યા છોડશે મુંબઈ ઈન્ડિયન્સ? KKR એ આપી કેપ્ટન પદની ઓફર!

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

IPL ટ્રેડિંગ વિન્ડોમાં રિષભ પંત અને કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સથી લખનૌ સુપર જાયન્ટ્સમાં ગયા બાદ હવે ભારે ખળભળાટ મચ્યો છે. હવે બધી નજર મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર છે, જે મુંબઈની ટીમ છોડવાની પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યો હોવાના અહેવાલો છે. હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઘણી ફ્રેન્ચાઈઝીઓ ઉત્સુક છે. પહેલા રાજસ્થાન રોયલ્સનું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે આ રેસમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પણ કૂદી પડ્યું છે. કેકેઆરએ તો હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં લાવવા માટે કેપ્ટન પદની પણ ઓફર આપી દીધી છે.

App Store

હાર્દિક પંડ્યાનું MI સાથે અનિશ્ચિત ભવિષ્ય

અત્યાર સુધીના અહેવાલો મુજબ હાર્દિક પંડ્યા અને યશસ્વી જયસ્વાલની ટ્રેડ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થઈ શકે છે, પરંતુ હવે નવો અહેવાલ એ છે કે કેકેઆર આ ઓલરાઉન્ડરને પોતાની સાથે જોડવા માટે પૂરો પ્રયાસ કરી રહી છે. હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સ સાથેનું ભવિષ્ય સ્પષ્ટ નથી અને આ IPL 2026 પૂર્ણ થયા પછી જ દેખાઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર તેની શરૂઆત સૌપ્રથમ ફોલો-અનફોલોથી થઈ હતી. મુંબઈ તેમની કેપ્ટન્સીમાં 3 સીઝન રમી છે, જેમાંથી 2 સીઝન ખૂબ જ ખરાબ સાબિત થઈ છે.

કેકેઆર અને એમઆઈ વચ્ચે ટ્રેડ અંગે વાતચીત

મીડિયા અહેવાલો અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે હાર્દિક પંડ્યાની ટ્રેડિંગને લઈને ગંભીર ચર્ચા ચાલી રહી છે. જો હાર્દિક પંડ્યા કેકેઆરની ટીમમાં જોડાશે, તો તેને કેપ્ટન બનાવવામાં આવશે તે નક્કી છે. છેલ્લા 2 સીઝનથી અજિંક્ય રહાણે કેકેઆરનો કેપ્ટન રહ્યો છે, પરંતુ ટીમ માટે તેઓ બહુ સારો વિકલ્પ સાબિત થયો ન હતો.

ઓલ કેશ ડીલ અંગે પણ વિચારણા

અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાની આ ડીલમાં માત્ર કેપ્ટનશીપ જ એકમાત્ર મોટી વાત નથી, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટ્રેડ માટે પૂરેપૂરા પૈસા ચૂકવીને 'ઓલ-કેશ ડીલ' કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ સીધા પૈસા લેવાનું પસંદ કરશે કે બદલામાં કોઈ ખેલાડી માંગશે, તે હજુ નક્કી નથી.

IPLના નિયમો પ્રમાણે, કોઈ પણ ખેલાડી બીજી ટીમ સાથે સીધી વાતચીત કરી શકતો નથી; બધી ચર્ચા બંને ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે જ થવી જરૂરી છે. આ સાથે જ, ટ્રેડિંગ માટે ખેલાડીની મંજૂરી પણ એટલી જ મહત્ત્વની છે. જો ખેલાડી નવી ટીમમાં જવા માટે ના પાડી દે, તો તેણે સીધા ઓક્શન (હરાજી)માં જવું પડે છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે ટ્રેડ ફાયદાકારક

જો જોવામાં આવે તો, હાર્દિક પંડ્યાના બદલામાં યશસ્વી જયસ્વાલને લેવાનો સોદો મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. મુંબઈને અત્યારે એક મજબૂત ઓપનરની જરૂર છે અને જયસ્વાલ તે કમી પૂરી કરી શકે છે. વળી, જયસ્વાલ મુંબઈનો જ હોવાથી તે વાનખેડે સ્ટેડિયમની પિચને ખૂબ સારી રીતે સમજે છે.

બીજી તરફ, આ ટ્રેડથી રાજસ્થાન રોયલ્સને પણ મોટો ફાયદો થશે. તેને હાર્દિકના રૂપમાં એક શાનદાર ઓલરાઉન્ડર અને એક અનુભવી કેપ્ટન મળી જશે, કારણ કે રિયાન પરાગ કેપ્ટન તરીકે એટલો પ્રભાવશાળી સાબિત થયો નથી.