Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Worship Lord Vishnu on Kurma Jayanti in this way

Religion / કૂર્મ જયંતિ પર આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને પદ્ધતિ

Timeછેલ્લું અપડેટ : 12 May 2025
લાઇવ ટીવીGoogle News
Religion / કૂર્મ જયંતિ પર આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને પદ્ધતિ

હિન્દુ ધર્મમાં કૂર્મ જયંતીને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે, વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કે કાચબાના રૂપમાં બીજો અવતાર લીધો હતો.

App Store

ભગવાન વિષ્ણુના આ અવતારની વિધિ-વિધાનથી પૂજા કરવાથી વ્યક્તિને સમૃદ્ધિ અને દીર્ધાયુષ્ય મળે છે. આજે એટલે કે 12 મે 2025ના રોજ કૂર્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે પવિત્ર સ્નાન અને દાન વગેરેનું પણ વિશેષ મહત્ત્વ છે. તો ચાલો જાણીએ કૂર્મ જયંતિ પર શુભ મુહૂર્ત, પૂજા પદ્ધતિ અને મંત્ર વિશે.

તિથિ અને મુહૂર્ત

તમને જણાવી દઈએ કે કૂર્મ જયંતીની પૂજા સાંજે કરવામાં આવે છે. કૂર્મ જયંતીની પૂજાનો શુભ સમય સાંજે 04:21 વાગ્યાથી શરૂ થશે અને 07:03 વાગ્યા સુધી ચાલશે. એટલે કે આ સમય દરમિયાન, પૂજા માટે 2 કલાક અને 42 મિનિટનો સમય હશે.

પૂજા પદ્ધતિ

આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો. જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો, ઘરે સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો અને પછી સ્વચ્છ કપડા પહેરો. આ પછી, પૂજા સ્થળને સાફ કરો અને ત્યાં ગંગાજળ છાંટો. હવે બાજોઠ પર લાલ કે પીળો કપડું પાથરી તેના પર ભગવાન કૂર્મ અથવા ભગવાન વિષ્ણુની મૂર્તિ મૂકો. પછી તાંબાના વાસણમાં પાણી, ફૂલો, દૂધ, તલ, ગોળ અને ચોખા મિક્સ કરો અને ત્યાં મૂકો.

આ પછી, ભગવાન કૂર્મને તિલક કરો અને પછી ઘીનો દીવો પ્રગટાવો. હવે ભગવાનને એક પછી એક ફળો, ફૂલો, ગુલાલ અને ચોખા વગેરે અર્પણ કરો. પૂજા દરમિયાન 'ऊं आं ह्रीं क्रों कूर्मासनाय नम:' મંત્રનો જાપ કરો અને પછી છેલ્લે ભગવાન કૂર્મ અથવા શ્રી હરિ વિષ્ણુની આરતી કરો.

કૂર્મ જયંતિ મંત્ર

  • ॐ नमो भगवते वासुदेवाय
  • ॐ कुर्माय नमः
  • ऊं आं ह्रीं क्रों कूर्मासनाय नम:

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.