Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Why should flowers and leaves not be picked in the evening? Know the religious and scientific reasons

સાંજે ફૂલો અને પાંદડા કેમ ન તોડવા જોઈએ? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સાંજે ફૂલો અને પાંદડા કેમ ન તોડવા જોઈએ? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો
સોર્સ : GSTV

હિંદુ ધર્મમાં ઘણી પ્રાચીન પરંપરાઓ અને માન્યતાઓનું પાલન કરવામાં આવે છે, જેમાંથી એક મહત્વની માન્યતા એ છે કે સૂર્યાસ્ત પછી ઝાડ પરથી ફૂલો અથવા પાંદડા તોડવા જોઈએ નહીં. આ પરંપરા આજે પણ ઘરના વડીલો દ્વારા ચુસ્તપણે અનુસરવામાં આવે છે, જેઓ બાળકો અને યુવા પેઢીને આ પરંપરાને અનુસરવા માટે પ્રેરિત કરે છે. આ વિષયમાં માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણ નથી, પરંતુ તેમાં વૈજ્ઞાનિક કારણો પણ સામેલ છે, જે આ પરંપરાને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.

App Store

આજે આપણે જાણીશું કે સૂર્યાસ્ત પછી વૃક્ષો અને છોડને સ્પર્શ કરવો અથવા તેમના ફૂલો અને પાંદડા તોડવાને માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહિ પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ખોટું માનવામાં આવે છે.

છોડ અને તેમની આરામની સ્થિતિ

હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડને જીવંત અને આત્મીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવસના અંતે, સૂર્યાસ્ત પછી, વૃક્ષો અને છોડ આરામની સ્થિતિમાં જાય છે. આ સમયે તેમની સાથે છેડછાડ કરવાથી તેમની ઊંઘમાં ખલેલ પહોંચે છે, જે અયોગ્ય માનવામાં આવે છે. જેમ વ્યક્તિને ઊંઘમાંથી જગાડવો ખોટું માનવામાં આવે છે, તેવી જ રીતે આ સમયે વૃક્ષો અને છોડને પણ ખલેલ પહોંચાડવી જોઈએ નહીં.

પ્રાણીઓ અને જંતુઓ માટે આશ્રય

બીજી ધાર્મિક માન્યતા એ છે કે નાના પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓ વૃક્ષો અને છોડ પર રહે છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે, ત્યારે તેઓ બધાં વૃક્ષો અને છોડ પાસે પોતાનો આશ્રય શોધવા આવે છે. જો આ સમયે વૃક્ષો અને છોડને કોઈ ખલેલ પહોંચાડે છે અથવા તેને તોડે છે, તો તે આ જીવો માટે મુશ્કેલી લાવી શકે છે, જે તેમની શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે.

પૂજામાં વપરાયેલ ફૂલો

ધાર્મિક માન્યતા અનુસાર પૂજામાં અર્પણ કરવા માટે સવારે ફૂલ તોડવા જોઈએ. કારણ કે મોટાભાગના ફૂલો દિવસ દરમિયાન ખીલે છે અને તે સૂર્યાસ્ત પછી સુકાઈ જાય છે, જે તેમની સુંદરતા અને સુગંધને ઘટાડે છે. તેથી, પૂજા માટે સવારના સમયે જ તાજા અને સુંદર ફૂલો જ તોડવામાં આવે છે.

કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન

વિજ્ઞાન અનુસાર, વૃક્ષો અને છોડ સાંજે કાર્બન ડાયોક્સાઇડ છોડવાનું શરૂ કરે છે, જ્યારે દિવસ દરમિયાન તેઓ ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. આ સમય દરમિયાન, જો તમે ઝાડ અને છોડના સંપર્કમાં આવો છો અથવા તોડી નાખો છો, તો તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. આ સિવાય રાત્રે કાર્બન ડાયોક્સાઇડનું વધુ પડતું ઉત્સર્જન સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.

માનસિક અને શારીરિક વિકાસ પર અસર

વિજ્ઞાન એ પણ બતાવે છે કે છોડ રાત્રિના સમયે તેમની ઊર્જાનો સંગ્રહ કરે છે, અને જો તેઓને આ સમયે ખલેલ પહોચાડવામાં આવે તો તેમના વિકાસ પર અસર પડે છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે રાત્રે ઝાડ-છોડને ખલેલ પહોંચાડવાથી આપની માનસિક શાંતિમાં ખલેલ પહોંચે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:gstvgstv newsgstv livereligion