Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Why is food kept in these 5 places?

પિતૃ પક્ષમાં પંચબલિનું શ્રાદ્ધ, આ 5 જગ્યા પર કેમ રખાય છે ભોજન, જાણો તેનું મહત્ત્વ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
પિતૃ પક્ષમાં પંચબલિનું શ્રાદ્ધ, આ 5 જગ્યા પર કેમ રખાય છે ભોજન, જાણો તેનું મહત્ત્વ
સોર્સ : Google

પિતૃ પક્ષની શરુઆત થઈ ગઈ છે, આ વર્ષે શ્રાદ્ધ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરુ થશે અને 21 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન પિતૃઓ પૃથ્વી પરના તેમના સ્વજનો પાસે આવે છે. આવી સ્થિતિમાં તેમના માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે, જેથી તેમના આત્માને શાંતિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. પિતૃ પક્ષમાં પંચબલિ શ્રાદ્ધનું વિશેષ મહત્ત્વ રહેલું છે, તેને પંચબલિ કર્મ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પંચબલિ શ્રાદ્ધ વિના પિતૃ પક્ષની વિધિઓ અધૂરી કહેવાય છે. પિતૃ પક્ષમાં આ કર્મ બધા પિતૃઓ, દેવતાઓ અને જીવોને તૃપ્ત કરે છે. ચાલો જાણીએ કે પિતૃ પક્ષમાં પંચબલિ કર્મ શું છે અને કયા 5 સ્થળોએ ભોજન રાખવામાં આવે છે...

App Store

પંચબલિ શ્રાદ્ધ કોને કહેવામાં આવે છે

ધર્મશાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, શ્રાદ્ધ માત્ર પિતૃઓને તર્પણ કરવા પૂરતું નથી, પરંતુ તે બધા જીવોને તૃપ્ત અને સમગ્રના કલ્યાણ માટે પણ કરાય છે. આ કારણોસર પંચબલિ કર્મ ફરજિયાત માનવામાં આવે છે. પંચબલિ શ્રાદ્ધ વિના પિતૃ કર્મ અધૂરું કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે, પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો પણ પ્રાણીઓ અને પક્ષીઓના રૂપમાં આવે છે અને શ્રાદ્ધમાં પરિવારના સભ્યો દ્વારા અર્પણ કરાયેલા ભોજનનો સ્વીકાર કરે છે. જ્યારે શ્રાદ્ધ પક્ષ દરમિયાન ભોજન તૈયાર કરવામાં આવે છે, ત્યારે ભોજનનો એક ભાગ પૂર્વજોને અર્પણ કરવામાં આવે છે અને બીજો ભાગ ગાય, કૂતરા, કીડી, કાગડા અને દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને પંચબલિ શ્રાદ્ધ અથવા પંચબલિ કર્મ કહેવામાં આવે છે.

શ્રાદ્ધમાં બ્રાહ્મણ ભોજનની સાથે, પંચબલિ કર્મ 5 સ્થાને કરાય છે 

પ્રથમ ગૌ બલિ - ઘરની પશ્ચિમ દિશા તરફમાં પલાશ અથવા મહુઆના પાંદડા પર ગાયને ખવડાવવામાં આવે છે.

બીજું શ્વાન બલિ - શ્રાદ્ધનું ભોજન પાંદડા પર મૂકીને શ્વાનને ખવડાવવામાં આવે છે.

ત્રીજું કાગડાને - શ્રાદ્ધનું ભોજન પાંદડા પર મૂકીને ઘરની છત પર રાખવામાં આવે છે, જેથી તે ભોજન કરી શકે.

ચોથું દેવને - શ્રાદ્ધનું ભોજન ઘરમાં દેવતાઓ માટે એક પાન પર રાખવામાં આવે છે અને પછી બ્રાહ્મણો ભોજન કરી લે પછી, તેને ઘરની બહાર રાખવામાં આવે છે.

પાંચમું કીડીને - શ્રાદ્ધનું ભોજન કીડીઓ, જંતુઓ વગેરે માટે પણ રાખવામાં આવે છે. જેથી તેઓ ભોજન કરી શકે છે. 

ધાર્મિક શાસ્ત્રોમાં શ્રાદ્ધપક્ષ દરમિયાન પંચબલિ કર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અર્થ છે 5 પ્રકારના જીવોને ભોજન અર્પણ કરવું...

બ્રાહ્મણને ભોજન

દેવતાઓ અને પૂર્વજોના પ્રતિનિધિ માનવામાં આવે છે. બ્રાહ્મણને ભોજન કરાવવાથી શ્રાદ્ધનું ફળ પૂર્વજો સુધી પહોંચે છે.

કાગડાને ભોજન

કાગડાને પૂર્વજોનો દૂત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પહેલા કાગડાને શ્રાદ્ધનું ભોજન આપવાથી પૂર્વજોએ પ્રસાદ સ્વીકાર્યો છે.

ગાયને ભોજન 

ગૌ માતા દેવતાઓનું નિવાસસ્થાન અને તમામ યજ્ઞ-કર્મોની સાક્ષી માનવામાં આવે છે. શ્રાદ્ધ દરમિયાન ગાયને ભોજન અર્પણ કરવાથી પૂર્વજોને પુણ્ય અને સંતોષ મળે છે.

શ્વાનને ભોજન

શ્વાનને ધર્મ અને ભૈરવનું વાહન માનવામાં આવે છે. ઘરના રક્ષક હોવાથી તેને ભોજન આપવું એ શ્રાદ્ધમાં પૂર્વજોની સલામતી અને સંતોષનું પ્રતીક છે.

કીડીઓને ભોજન

કીડીઓ, જંતુઓ, બિલાડીઓને પણ પંચબલિમાં સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે તેઓ ઘરના સૂક્ષ્મ જીવોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને ભોજન આપવાથી ઘરમાં સમૃદ્ધિ અને પૂર્વજોની ખુશી જળવાઈ રહે છે.

નોંધ:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.