Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Why and when do dogs bite? Astrology has shown the solution

Religion:કૂતરા કેમ અને ક્યારે કરડે છે? જ્યોતિષ શાસ્ત્રમાં બતાવ્યો છે તેનાથી બચવાનો ઉકેલ

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Religion:કૂતરા કેમ અને ક્યારે કરડે છે? જ્યોતિષ શાસ્ત્રમાં બતાવ્યો છે તેનાથી બચવાનો ઉકેલ

દર વર્ષે વિશ્વમાં લગભગ 55,000 લોકોને કૂતરા કરડે છે અને હડકવાને કારણે અનેક લોકો મૃત્યુ પામે છે. આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો છે.  જો ભારતની વાત કરીએ તો આવી ઘટનાઓ સતત વધી રહી છે. ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં રખડતા કૂતરાએ 12 લોકોને કરડ્યા હતા. રખડતા કૂતરાઓ દ્વારા હુમલાની ઘટનાઓ સાંભળીને આઘાત લાગે છે. ઘણીવાર પશુ ચિકિત્સકો અમુક પ્રકારની વર્તણૂંકને કૂતરો કરડવાના સંકેત તરીકે દર્શાવી જાણકારી આપતા હોય છે.  પરંતુ એ લક્ષણો ઘરમાં રાખેલા કૂતરા માટે સમજી શકો છો. પરંતુ શેરી કૂતરાને ઓળખવા શું કરવું?

App Store

જ્યોતિષમાં કૂતરાને શનિ અને રાહુ સાથે જોડવામાં આવે છે.

કૂતરા કેમ કરડે છે અને ક્યારે કરડે છે એ મોટો પ્રશ્ન છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જો રાહુ કુંડળીમાં સારો હોય અને સારી અસર આપતો હોય તો કૂતરું કરડવા જેવી ઘટનાઓ બનતી નથી. જ્યોતિષશાસ્ત્રમાં કૂતરાને શનિ અને રાહુ સાથે સંબંધ છે.  ઘરમાં વાયુ તત્વ યોગ્ય હોય અને બુધ ગ્રહ તમારા પક્ષમાં હોય તો તમે કૂતરાથી પરેશાન થતાં નહીં હોવ. કેટલીકવાર ઘરની વાસ્તુ પણ યોગ્ય હોય છે પરંતુ ઘરની સ્થિતિ પ્રતિકૂળ દેખાય છે. ત્યારે આપણે પ્રાણીઓથી પરેશાન થઈએ છીએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો કૂતરો શનિનું પ્રતીક છે અને ભૂરા કૂતરો રાહુનું પ્રતીક છે.  આ સાથે જ કાબરચીતરો કૂતરો એટલે કે સફેદ અને કાળા રંગનું મિશ્રણ પણ કેતુનું પ્રતીક માનવામાં આવે છે.

કૂતરાના કરડવાથી કેવી રીતે બચવું

જો શનિ ખરાબ સ્થિતિમાં હોય તો સલાહ આપવામાં આવે છે કે તમે કાળા કૂતરાની સેવા કરો. જો કેતુ તમામ ખરાબ અસર આપી રહ્યો છે અને કુંડળીના આઠમા ભાવમાંથી પસાર થઈ રહ્યો છે, તો સલાહ આપવામાં આવે છે કે તમારે કાળા કૂતરાની સેવા કરવી જોઈએ.
જો રાહુની સ્થિતિ ખરાબ હોય તો તમારે ભૂરા કૂતરાને ખાવાનું ખવડાવવું જોઈએ.
જો મંગળ બળવાન હશે તો પ્રાણીઓ તમને પરેશાન કરશે નહીં.
કૂતરા કરડવા જેવી પરિસ્થિતિથી બચવા માટે શનિવારે દાન કરો.
માત્ર કૂતરાની સેવા કરવાથી તમારા ગ્રહોની અશુભ અસર દૂર થઈ શકે છે.

આ માટે તમે શનિ રાહુ સંબંધિત ઉપાયો કરી શકો છો જેમ કે સફાઈ કર્મચારીને વધારાના રૂપિયા આપવા. સ્વચ્છતા કાર્યકરને કપડાં અથવા અનાજનું દાન કરો.
આ સિવાય તે ગ્રહો સાથે સંબંધિત હોવાથી કોઈપણ જ્યોતિષ નિષ્ણાતની સલાહ લઈ શકો છો અને તેમની પાસેથી યોગ્ય ઉપાય મેળવી શકો છો.

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.