Religion: શરદપૂર્ણિમાના વ્રતના દિવસે ખીર રાખતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? ચંદ્રદેવને ખીર ચઢાવવાનો મંત્ર

આ ખીરનું પ્રસાદ તરીકે સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ,સંપત્તિ અને માનસિક શાંતિ મળે છે.આ ખીર એટલી ખાસ છે કે તેને બનાવવા અને રાખવા માટેના કેટલાક ખાસ નિયમો છે. ખીર રાખતી વખતે, કેટલાક મંત્રો પણ જાપ કરવા જોઈએ. અહીં ખીર ચઢાવવાના મંત્રો સમજાવવામાં આવ્યા છે. આ સાથે,ચંદ્રદેવના મંત્રો વિશે પણ માહિતી આપવામાં આવી છે.
શરદપૂર્ણિમાના ખીર ચઢાવવાનો મંત્ર-
ॐ चन्द्राय नमः।
चन्द्रमसे नमः।
अमृतकलाश पूरिताय नमः।
लक्ष्मीप्रियाय सोमाय नमः।
मम खीरं अमृततुल्यं कुरु कुरु स्वाहा॥
અથવા તમે
'ॐ चंद्राय सोमाय नमः। चंद्रकिरणैः अमृतमय खीरं पूरय स्वाहा।'
મંત્રોનો જાપ પણ કરી શકો છો.
ચંદ્ર ભગવાન મંત્ર-
1) બીજ મંત્ર
ॐ श्रां श्रीं श्रौं सः चंद्राय नमः॥
2) ચંદ્ર ગાયત્રી મંત્ર
ॐ इन्द्रनीलाय विद्महे
कलारूपाय धीमहि
तन्नो चन्द्रः प्रचोदयात्॥
3) શાંતિ દાયક ચંદ્ર મંત્ર
दधिशंखतुषाराभं क्षीरोदार्णवसम्भवम्।
नमामि शशिनं सोमं शंभोर्मुखचन्द्रनिभम्॥
4) ચંદ્ર પૂજા મંત્ર
ઓમ ચંદ્રાય નમઃ
ચંદ્રદેવના મંત્રનો જાપ કરવાની રીત
ચંદ્રદેવના આ મંત્રોનો જાપ કરવા માટે શરદપૂર્ણિમાના દિવસે સફેદવસ્ત્રો પહેરો અને સફેદ ફૂલ અને ચોખાથી ચંદ્રદેવની પૂજા કરો.રાત્રે ચંદ્રને પાણી અથવા દૂધ અર્પણ કરો.ત્યારબાદ જાપ માટે ચંદન અથવા રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો અને તમારે આ મંત્રોનો 108 વાર જાપ કરવો પડશે.તમે તમારી ક્ષમતા મુજબ જપ પણ કરી શકો છો.

