Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Vastu Tips: Don't make these mistakes while keeping a knife in the kitchen, Vastu Dosha may increase; Know the right direction and rules

Vastu Tips: રસોડામાં છરી રાખતી વખતે ન કરો આ ભૂલો, વધી શકે છે વાસ્તુ દોષ; જાણો યોગ્ય દિશા અને નિયમો

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: રસોડામાં છરી રાખતી વખતે ન કરો આ ભૂલો, વધી શકે છે વાસ્તુ દોષ; જાણો યોગ્ય દિશા અને નિયમો
સોર્સ : gstv

રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે રસોઈ બનાવવામાં મદદરૂપ થાય છે, પરંતુ તેની સાથે જ તેમનો ઘરના વાસ્તુ સાથે પણ ઊંડો સંબંધ છે. ખાસ કરીને રસોડામાં વપરાતી છરી વાસ્તુશાસ્ત્ર અનુસાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

App Store

છરીનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. છરી જ્યાં એકતરફ હિંમત અને ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યાં બીજી તરફ તે આક્રમકતાનું પણ પ્રતીક છે. તેથી, વાસ્તુ અનુસાર તેને ખૂબ જ કાળજીપૂર્વક રાખવી જોઈએ, નહીં તો તે ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે. ચાલો જાણીએ રસોડામાં છરી રાખવાના સાચા નિયમો:

રસોડામાં છરી કઈ દિશામાં રાખવી?

વાસ્તુશાસ્ત્રમાં મંગળ ગ્રહની દિશા દક્ષિણ માનવામાં આવી છે. તેથી, તમારે તમારા રસોડામાં દક્ષિણ દિશા તરફ છરી રાખવી જોઈએ. જો તમે આ દિશામાં છરી રાખશો, તો ઘરમાં સકારાત્મકતા રહેશે અને તેનો ઉપયોગ ફક્ત યોગ્ય હેતુ માટે જ થશે.

 છરીની ધાતુ અને રંગ કેવો હોવો જોઈએ?

બજારમાં અલગ-અલગ ધાતુ અને રંગની છરીઓ મળતી હોય છે. જો કે, વાસ્તુ અનુસાર રસોડામાં સ્ટીલની છરી રાખવી સૌથી ઉત્તમ ગણાય છે અને જો તેનું હેન્ડલ (હથ્થો) લાકડાનું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પ્લાસ્ટિકના હેન્ડલવાળી છરી ખરીદી રહ્યા હોવ, તો ધ્યાન રાખો કે તે કાળા રંગની ન હોય. કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે.

છરીને કેવી રીતે ગોઠવવી (સ્ટોર કરવી)?

વાસ્તુ અનુસાર, છરી ક્યારેય ખુલ્લી જગ્યાએ (બધાને દેખાય તેમ) ન રાખવી જોઈએ. છરી પર વારંવાર નજર પડવાથી વ્યક્તિનો સ્વભાવ આક્રમક બની શકે છે. તેને હંમેશા દક્ષિણ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં આવેલા કોઈ ડ્રોઅર કે સ્ટેન્ડની અંદર છુપાવીને રાખો.

ખાસ નોંધ: ભૂલથી પણ ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં છરી ન રાખવી. આ દિશા બુધ ગ્રહની છે. ત્યાં છરી રાખવાથી ઘરની શાંતિ હણાય છે અને પરિવારના સભ્યોની બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે.

આ રીતે છરીનો ઉપયોગ ક્યારેય ન કરવો

છરીનો ઉપયોગ કર્યા પછી તેને તરત જ ધોઈને સાફ કરી દેવી જોઈએ. તેને એંઠી કે ગંદી રાખવાથી આર્થિક નુકસાન થાય છે. વાસ્તુ અનુસાર, મંગળનું પ્રતિનિધિત્વ કરતી છરી સીધી રીતે આપણા ભોજન સાથે જોડાયેલી છે. તેને ગંદી રાખવાથી ઘરમાં બીમારીઓ આવે છે, જેના લીધે બિનજરૂરી ધનનો બગાડ થાય છે. તેથી, તેને ક્યારેય ગેસના ચૂલા પાસે કે સિંકમાં ગંદી ન છોડો.

રસોડામાં રહેલી એક નાની છરી પણ જો યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે, તો તે તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે. તેથી વાસ્તુના આ નિયમોનું પાલન ચોક્કસ કરવું જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.