Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Trees and plants placed in the wrong direction in the house increase stress

Religion: ઘરમાં ખોટી દિશામાં રાખેલા વૃક્ષો અને છોડ વધારે છે તણાવ, કજિયા કંકાશ વધે

Timeછેલ્લું અપડેટ : 05 May 2025
લાઇવ ટીવીGoogle News
Religion: ઘરમાં ખોટી દિશામાં રાખેલા વૃક્ષો અને છોડ વધારે છે તણાવ, કજિયા કંકાશ વધે

વાસ્તુશાસ્ત્રમાં ઊર્જાનું વિશેષ મહત્ત્વ છે.  ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુને સ્થાન આપવા માટે ચોક્કસ દિશા નિર્ધારિત કરવામાં આવી છે. વાસ્તુમાં વૃક્ષો અને છોડ વાવવાની ચોક્કસ દિશા પણ જણાવવામાં આવી છે. ખોટી દિશામાં લગાવેલા વૃક્ષો અને છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. 

App Store

ખોટી દિશામાં લગાવેલા વૃક્ષો અને છોડની નકારાત્મક ઉર્જાને પગલે એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ઝઘડા વધે છે.  વાસ્તુ અનુસાર ઘરમાં કેટલાક એવા છોડ હોય છે જેને ઘરની દક્ષિણ દિશામાં ન લગાવવા જોઈએ. નહીં તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કેળાનું વૃક્ષ

જ્યોતિષમાં કેળાના છોડને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુવારે આ વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.  વાસ્તુ અનુસાર આ છોડને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. કેળનું ઝાડ ક્યારેય પૂર્વ-પશ્ચિમ દિશામાં ન લગાવવું જોઈએ.  આ દિશામાં કેળાનો છોડ લગાવવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં કેળાનું વાવેતર કરવાથી નકારાત્મક પરિણામ મળે છે.  કેળાનો છોડ હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવો જોઈએ.

તુલસીનો છોડ

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે.  માન્યતાઓ અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે.  દરરોજ તુલસીની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં પરેશાનીઓ વધે છે અને ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે.  તુલસી માટે ઉત્તર દિશા સૌથી શુભ માનવામાં આવે છે, જ્યારે પૂર્વ દિશામાં તુલસીનું વાવેતર કરવાથી ઘરમાં સૂર્ય જેવી ઉર્જા આવે છે.

મની પ્લાન્ટ

મની પ્લાન્ટ ઘર માટે લકી પ્લાન્ટ માનવામાં આવે છે.  મોટાભાગના ઘરોમાં મની પ્લાન્ટ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.  જે ઘરમાં મની પ્લાન્ટ ખીલે છે ત્યાં સમૃદ્ધિ રહે છે. 

વાસ્તુ અનુસાર દક્ષિણ દિશામાં ક્યારેય પણ મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ, નહીં તો લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે.  જેના કારણે પરિવારના સભ્યોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.  મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ.  આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:housetulsi plantgstvgstv news