Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : These 5 morning and evening mistakes can be the cause of poverty

Vastu Tips: સવાર-સાંજની આ 5 ભૂલો બની શકે છે ગરીબીનું કારણ, આજે જ બદલો તમારી આ આદતો

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: સવાર-સાંજની આ 5 ભૂલો બની શકે છે ગરીબીનું કારણ, આજે જ બદલો તમારી આ આદતો
સોર્સ : GSTV

વાસ્તુશાસ્ત્રમાં ઘરની આર્થિક સ્થિતિ અને સુખ-શાંતિનો સીધો સંબંધ આપણી દિનચર્યા સાથે જણાવવામાં આવ્યો છે. ઘણીવાર આપણે અજાણતા એવી ભૂલો કરીએ છીએ જે ઘરમાં નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાને આમંત્રણ આપે છે. જો સખત મહેનત છતાં પૈસા ટકતા ન હોય કે ઘરમાં તણાવ રહેતો હોય, તો આ 5 વાસ્તુ સિદ્ધાંતો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

App Store

સૂર્યોદય પછી મોડા સુધી સૂઈ રહેવું

શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલાં જાગવું એ સ્વાસ્થ્ય અને સૌભાગ્ય બંને માટે ઉત્તમ છે. જે ઘરમાં લોકો સૂર્યોદય પછી મોડે સુધી સૂઈ રહે છે, ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા મળતી નથી. પ્રગતિ માટે સૂર્યોદય સાથે જાગવાની આદત કેળવવી જોઈએ.

સૂર્યાસ્ત સમયે ઝાડુ મારવું

સાંજે સૂર્યાસ્તના સમયે ક્યારેય ઘર સાફ ન કરવું જોઈએ. માન્યતા છે કે આ સમયે ઝાડુ મારવાથી ઘરની સમૃદ્ધિ (લક્ષ્મી) કચરાની સાથે બહાર નીકળી જાય છે. જો કોઈ કારણસર સફાઈ કરવી જ પડે, તો કચરો ઘરની બહાર ફેંકવાને બદલે એક ખૂણામાં એકત્ર કરી રાખવો અને સવારે તેનો નિકાલ કરવો.

સંધ્યાકાળે નિદ્રા લેવી

સાંજનો સમય એટલે કે સંધ્યાકાળ એ પૂજા, પ્રાર્થના અને ધ્યાન માટેનો સમય છે. આ સમયે સૂવું એ શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. જે લોકો સાંજે સૂઈ જાય છે, તેઓ શારીરિક રોગોનો ભોગ બને છે અને તેમના ઘરમાં આર્થિક તંગી સર્જાઈ શકે છે.

મુખ્ય દરવાજા પર અંધારું રાખવું

ઘરનો મુખ્ય દરવાજો એ લક્ષ્મીજીના પ્રવેશનું સ્થાન છે. સાંજના સમયે પ્રવેશદ્વાર પર અંધારું રાખવું અશુભ મનાય છે. સાંજ પડતાની સાથે જ ઘરના ઉંબરે અથવા મુખ્ય દરવાજે દીવો કે બલ્બ પ્રગટાવવો જોઈએ. પ્રકાશિત પ્રવેશદ્વાર સકારાત્મક ઉર્જા અને સફળતાને આકર્ષે છે.

 તુલસીના છોડની અવગણના કરવી

તુલસીનો છોડ ઘરની સમૃદ્ધિનું પ્રતીક છે. સવાર-સાંજ તુલસીની સેવા કરવી જોઈએ, પરંતુ ખાસ ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી તુલસીના પાનને ક્યારેય સ્પર્શ ન કરવો કે તેને પાણી ન આપવું. સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ છે. તેની આસપાસ ગંદકી રાખવાથી નાણાકીય નુકસાન થઈ શકે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.