Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : These 4 zodiac signs will gain position, money and prestige due to the change of Sun's constellation

VIDEO: સૂર્યનું નક્ષત્ર પરિવર્તનથી આ 4 રાશિઓ મેળવશે પદ, પૈસા અને પ્રતિષ્ઠા 

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવનું નક્ષત્ર પરિવર્તન માનવ જીવન પર ઊંડી અસર કરે છે. સૂર્યદેવ ટૂંક સમયમાં શુક્રના આધિપત્ય વાળા પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષ મુજબ પૂર્વાફાલ્ગુની નક્ષત્રના સ્વામી શુક્ર હોવાથી તે પ્રેમ, ભૌતિક સુખ-સુવિધા, ધન, કલા અને સંગીત સાથે જોડાયેલું માનવામાં આવે છે.

App Store

સૂર્યનું મઘા નક્ષત્રમાંથી પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં આ ગોચર 12 રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ પાડશે, પરંતુ 4 લકી રાશિઓના જાતકો માટે આ પરિવર્તન સુવર્ણ અવસરો અને મોટો ધનલાભ લઈને આવી રહ્યું છે.

સૂર્ય ગોચરનો સમયગાળો

પ્રવેશનો સમય: 31 ઓગસ્ટ, 2026 (સોમવાર) - સવારે 04:04 વાગ્યે
નક્ષત્રમાં સંચરણનો સમયગાળો: 31 ઓગસ્ટ થી 13 સપ્ટેમ્બર, 2026 સુધી
સૌથી વધુ લાભ મેળવનાર રાશિઓ: મેષ, સિંહ, તુલા, મીન

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન અત્યંત શુભ ફળદાયી સાબિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારવધારો બંને મળવાના મજબૂત યોગ છે. સમાજમાં માન-સન્માન વધશે. પરિવાર સાથે ઉત્તમ સમય વિતાવશો અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. લાંબા સમયથી અટકેલા કામો આ સમયગાળામાં પૂર્ણ થશે.

સિંહ રાશિ

સૂર્યના શુક્રના નક્ષત્રમાં પ્રવેશથી સિંહ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે. કાર્યક્ષેત્રમાં અચાનક મોટી સફળતા મળી શકે છે. તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે અને સામાજિક પ્રતિષ્ઠામાં ઉછાળો આવશે.

તુલા રાશિ

તુલા રાશિ માટે આ સમય અનુકૂળ રહેશે. બિઝનેસમાં કોઈ મોટી અને નફાકારક ડીલ ફાઇનલ થઈ શકે છે. અટકેલા નાણાં પાછા મળવાના સંપૂર્ણ આસાર છે. પિતાના સ્વાસ્થ્યમાં મોટો સુધારો જોવા મળશે. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. વર્ષો જૂનો પૈતૃક સંપત્તિનો વિવાદ શાંત થશે.

મીન રાશિ

મીન રાશિના જાતકોના જીવનમાં આ ગોચર સકારાત્મક પરિવર્તન લાવશે. કમાણીના નવા રસ્તા ખુલશે અને મનપસંદ નોકરી મેળવવામાં સફળતા મળશે. દાંપત્યજીવનમાં જીવનસાથીનો પૂરો સાથ મળશે. મોજશોખ અને લક્ઝરી વસ્તુઓની ખરીદી પાછળ તેમજ યાત્રા-પ્રવાસ પાછળ ધન ખર્ચ થઈ શકે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.