Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : There will be a big earthquake, heavy loss in speech and business in the lives of these 3 zodiac signs

આ 3 રાશિના લોકોના જીવનમાં આવશે મોટો ભૂકંપ, વાણી અને વેપારમાં ભારે થવાનું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
આ 3 રાશિના લોકોના જીવનમાં આવશે મોટો ભૂકંપ, વાણી અને વેપારમાં ભારે થવાનું નુકસાન
સોર્સ : gstv

જ્યોતિષ શાસ્ત્રમાં બુદ્ધિ, વ્યાપાર અને સંવાદના કારક ગણાતા બુધ ગ્રહ આગામી 29 જૂન 2026 થી 23 જુલાઈ 2026 સુધી કર્ક અને મિથુન રાશિમાં વક્રી (ઉલ્ટી ચાલ) થવા જઈ રહ્યા છે. બુધની આ પ્રતિકૂળ સ્થિતિ માનવીના જીવનના મહત્વના ક્ષેત્રોમાં ભારે ઉથલપાથલ મચાવી શકે છે. આ 25 દિવસોના ગાળા દરમિયાન ખાસ કરીને ત્રણ રાશિના જાતકોએ પોતાના દરેક પગલાં ખૂબ જ સમજી-વિચારીને મૂકવા પડશે.

App Store

આ 3 રાશિઓએ રાખવી પડશે વિશેષ સાવધાની

મિથુન રાશિ: બુધ તમારી જ રાશિના સ્વામી ગ્રહ હોવાથી આ વક્રી ચાલની સૌથી ઊંડી અને સીધી અસર તમારા પર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમારા બિનજરૂરી ખર્ચાઓ અચાનક વધી શકે છે, જેનાથી બજેટ ખોરવાશે. કોઈની પણ સાથે વાતચીત કરતી વખતે શબ્દોની પસંદગી ખૂબ જ વિચારીને કરવી, કારણ કે તમારી કડવી વાણી મોટા વિવાદનું કારણ બની શકે છે.

ધનુ રાશિ: બુધની ઉલ્ટી ચાલ તમારા માટે માનસિક તણાવ અને બિનજરૂરી ચિંતાઓ લઈને આવશે. આ સમયે વ્યાપારમાં ધાર્યો નફો નહીં મળે અથવા કોઈ ખોટા નિર્ણયને કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના રહેશે. સ્વાસ્થ્ય બાબતે પણ વિશેષ કાળજી રાખવી જરૂરી છે, કારણ કે જૂની બીમારીઓ ફરી ઉથલો મારી શકે છે.

વૃષભ રાશિ: બુધ તમારી રાશિના ત્રીજા ભાવ એટલે કે સંચાર અને પરાક્રમ ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. આના કારણે મીડિયા, લેખન, માર્કેટિંગ કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા જાતકોને પોતાના કામમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી શકે છે. રોકાણ સંબંધિત બાબતોમાં કોઈ મોટું પગલું ભરવાનું ટાળવું અને પોતાની યોજનાઓ કોઈની પણ સાથે શેર ન કરવી.

બુધ વક્રી હોય તે દરમિયાન શું ન કરવું?

નવું કામ શરૂ ન કરવું: આ 25 દિવસના સમયગાળા દરમિયાન કોઈ નવો બિઝનેસ કે મોટો પ્રોજેક્ટ શરૂ કરવાનું ટાળવું જોઈએ.
દસ્તાવેજો પર ઉતાવળમાં સહી ન કરવી: કોઈપણ નાણાકીય કે કાનૂની કરારના કાગળોને બરાબર વાંચ્યા વિના તેના પર સહી કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.
મોટી ખરીદી ટાળવી: આ સમય દરમિયાન મોંઘા ગેજેટ્સ, વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં નુકસાન જવાની પૂરેપૂરી આશંકા રહે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરીને તમારી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. આ બાબતે વધુ માહિતી માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.