Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : There is significance in worshipping nine different forms of Goddess Durga during Navratri. It begins with

Religion : આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટસ્થાપનના શુભ મુહૂર્ત, પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Religion : આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટસ્થાપનના શુભ મુહૂર્ત, પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા
સોર્સ : gstv

ગુરુવારથી એટલે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી રહેશે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાનું મહત્વ છે. તેની શરૂઆત ચૈત્ર સુદ એકમ તિથિ પર ઘટસ્થાપન સાથે થાય છે. આ દિવસે કળશ સ્થાપના કર્યા બાદ જ લોકો ઉપવાસ અને દેવીની વિધિવત પૂજા શરૂ કરે છે. ઘરમાં પૂરા નવ દિવસ સાત્વિકતા અને શુદ્ધિનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ અષ્ટમી અને નવમી તિથિ પર કન્યા પૂજન કર્યા પછી પારણા કરવામાં આવે છે. આ ચૈત્ર નવરાત્રિમાં ઘટસ્થાપન માટે બે શુભ મુહૂર્ત રહેશે.

App Store

ઘટસ્થાપનના શુભ મુહૂર્ત

પ્રથમ મુહૂર્ત: સવારે 06:52 થી સવારે 07:43 સુધી

અભિજીત મુહૂર્ત: બપોરે 12:05 થી બપોરે 12:53 સુધી.

ઘટસ્થાપન કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

ઘટસ્થાપન માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ-સુથરા વસ્ત્રો પહેરવા જોઈએ. શારીરિક અને માનસિક શુદ્ધિ પછી જ કળશને સ્પર્શ કરવો. કળશ સ્થાપના સમયે ધ્યાન રાખવું કે ત્યાં બેસવા માટે થોડી ખાલી જગ્યા જરૂર હોવી જોઈએ, જેથી ત્યાં બેસીને ધ્યાન, જપ કે પાઠ સરળતાથી કરી શકાય. આસપાસ બિલકુલ ગંદકી ન હોવી જોઈએ. જે સ્થાન પર કળશ સ્થાપિત કરવામાં આવ્યો છે, તેને ક્યારેય સૂનું ન છોડવું જોઈએ. ત્યાં દરેક સમયે કોઈને કોઈ હાજર હોવું જોઈએ. શૌચાલય, સ્નાનઘર કે રસોડાની પાસે ક્યારેય ઘટસ્થાપન ન કરવું.

નવરાત્રિના 9 દિવસના શુભ રંગો

19 માર્ચ (ગુરુવાર): પીળો

20 માર્ચ (શુક્રવાર): લીલો

21 માર્ચ (શનિવાર): ગ્રે (રાખોડી)

22 માર્ચ (રવિવાર): નારંગી

23 માર્ચ (સોમવાર): આછો પીળો અથવા આછો ગુલાબી

24 માર્ચ (મંગળવાર): લાલ

25 માર્ચ (બુધવાર): વાદળી

26 માર્ચ (ગુરુવાર): ગુલાબી

27 માર્ચ (શુક્રવાર): જાંબલી

નવરાત્રિમાં શું દાન કરવું?

નવરાત્રિના પવિત્ર દિવસોમાં દાન-ધર્મ કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. આ દિવસોમાં તમે વસ્ત્રો, ફળ, ફૂલ, સૌભાગ્યની સામગ્રી અથવા ચોખા, લોટ, ઘઉં, ખાંડ જેવી ખાદ્યસામગ્રીનું દાન કરી શકો છો. શક્તિ મુજબ ધનનું દાન પણ કરી શકાય છે. આ ઉપરાંત વાર મુજબ પણ દાન કરી શકાય છે. જેમ કે, નવરાત્રિ ગુરુવારથી શરૂ થઈ રહી છે, તો પ્રથમ દિવસે ગુરુ ગ્રહ સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે ચણાની દાળ, હળદર, પીળા વસ્ત્રો, કેળા, પીળી મીઠાઈ અથવા કેસરનું દાન કરવું ઉત્તમ રહેશે.

પ્રથમ દિવસે કયા દેવીની પૂજા થશે?

નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તેમને હિમાલયની પુત્રી કહેવામાં આવી છે. મા શૈલપુત્રીને પીળા અથવા સફેદ ફૂલ અર્પણ કરવામાં આવે છે. દેવીને સફેદ અથવા દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે. પૂજા બાદ મા શૈલપુત્રીના મંત્રોનો જાપ કરવો જોઈએ અને તેમની કથા સાંભળવી જોઈએ.

નવરાત્રિના 9 દિવસ: 9 દેવીઓની પૂજાની યાદી

19 માર્ચ: મા શૈલપુત્રી

20 માર્ચ: મા બ્રહ્મચારિણી

21 માર્ચ: મા ચંદ્રઘંટા

22 માર્ચ: મા કૂષ્માંડા

23 માર્ચ: મા સ્કંદમાતા

24 માર્ચ: મા કાત્યાયની

25 માર્ચ: મા કાલરાત્રિ

26 માર્ચ: મા મહાગૌરી

27 માર્ચ: મા સિદ્ધિદાત્રી

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.