Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The shocking mystery of the end of Kali Yuga in the book Kalgyanam!

VIDEO: શું આ જ છે કળિયુગનો અંત? કાલજ્ઞાનમ ગ્રંથમાં કળિયુગના અંતનું ચોંકાવનારૂં રહસ્ય!

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતની પવિત્ર ભૂમિ પર અનેક મહાન સંતો અને ભવિષ્યવક્તાઓ થઈ ગયા છે, જેમણે હજારો વર્ષો પહેલાં જ આવનારા સમયની ઘટનાઓ દર્શાવી દીધી હતી. વિદેશી ભવિષ્યવક્તાઓ જેમ કે નાસ્ત્રેદમસ કે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ રહસ્યમય અને સંકેતોમાં હોય છે, જ્યારે ભારતીય સંતોએ પ્રમાણમાં ખૂબ જ સ્પષ્ટ ભાષામાં ભવિષ્યનો ચિતાર આપ્યો છે. આમાં આંધ્રપ્રદેશના મહાન સિદ્ધ સંત શ્રી પોતુલૂરી વીર બ્રહ્મેન્દ્ર સ્વામીનું નામ અગ્રણી છે. વર્ષ 1608માં જન્મેલા બ્રહ્મેન્દ્ર સ્વામીએ તેલુગુ ભાષામાં 'કાલજ્ઞાનમ' નામના પવિત્ર ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં વિશ્વમાં બનનારી અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની ચર્ચા આજે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર વ્યાપકપણે થઈ રહી છે.

App Store

લાલ વરસાદ, કળિયુગનો અંત અને પ્રાકૃતિક આપત્તિઓ

'કાલજ્ઞાનમ' ગ્રંથ અનુસાર ભવિષ્યમાં આકાશમાંથી લાલ રંગનો વરસાદ થશે અને દરિયાનું જળસ્તર વધવાને કારણે અનેક દરિયાકાંઠાના શહેરો જળમગ્ન થઈ જશે. તેને આજના સમયમાં વાતાવરણમાં થતા બદલાવ (Climate Change) અને પ્રાકૃતિક હોનારતો સાથે જોડીને જોવામાં આવે છે. ગ્રંથમાં એવો પણ ઉલ્લેખ છે કે પૃથ્વી પર તાપમાન એટલું વધી જશે કે પહાડોમાંથી આગ નીકળશે અને આકાશમાં બે સૂર્ય દેખાતા હોય તેવો આભાસ થશે. આ ઉપરાંત દિવસના અજવાળામાં પણ તારા દેખાશે અને ત્યારબાદ અમુક વિસ્તારોની વસ્તી સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે, જે કોઈ મોટી કુદરતી આફત કે મહામારીનો સંકેત આપે છે.

તિરુપતિ બાલાજીની વૈશ્વિક ખ્યાતિ અને ભીષણ યુદ્ધની ચેતવણી

ભવિષ્યવાણી મુજબ આવનારા સમયમાં તિરુપતિ બાલાજી મંદિરની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાશે અને અલગ-અલગ ધર્મોના લોકો પણ ત્યાં દર્શન કરવા પહોંચશે. આ ઉપરાંત ગ્રંથમાં જ્યોતિષીય ગણતરીનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે જ્યારે શનિ ગ્રહ મીન અને મેષ રાશિની વિશેષ સ્થિતિમાં ગોચર કરશે, ત્યારે વિશ્વમાં એક ભયાનક અને નિર્ણાયક યુદ્ધ થઈ શકે છે. કળિયુગના પાંચ હજાર વર્ષ પૂર્ણ થયા બાદ અધર્મનો અંત આવે તે પહેલાં દુનિયાએ આશરે 108 વર્ષ સુધી ભારે સંઘર્ષ, અશાંતિ અને મોટા ફેરફારોમાંથી પસાર થવું પડશે.

વિશ્વવસુ સંવત્સરમાં કલ્કિ અવતારની ભવિષ્યવાણી

બ્રહ્મેન્દ્ર સ્વામીના 'કાલજ્ઞાનમ'માં સૌથી વધુ ચર્ચિત ભવિષ્યવાણી ભગવાન વિષ્ણુના કલ્કિ અવતાર સાથે જોડાયેલી છે. ગ્રંથમાં દાવો કરવામાં આવ્યો છે કે 'વિશ્વવસુ' નામના સંવત્સરમાં ભગવાન કલ્કિનો અવતાર થશે. માન્યતા અનુસાર ભગવાન કલ્કિ પૃથ્વી પરથી અધર્મ, પાપ અને અત્યાચારનો અંત કરીને ફરીથી ધર્મની સ્થાપના કરશે. જોકે આ સંવત્સકની ગણતરી અને સમયને લઈને વિવિધ વિદ્વાનો અને જ્યોતિષીઓમાં ભિન્ન-ભિન્ન મતો પણ જોવા મળે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.