Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The glory of planting Tulsi in Shravana: Happiness and prosperity and blessings of Lakshmi will come to the house!

Religion: શ્રાવણમાં તુલસી વાવવાનો મહિમા: ઘર આવશે સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મીજીના આશીર્વાદ!

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Religion: શ્રાવણમાં તુલસી વાવવાનો મહિમા: ઘર આવશે સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મીજીના આશીર્વાદ!
સોર્સ : GSTV

ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય એવી તુલસી પૂજનીય હોવાની સાથે એક ઉત્તમ ઔષધિ પણ છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં તુલસીના છોડનો ભારે મહિમા ગવાયો છે અને આયુર્વેદમાં પણ તેના ચમત્કારિક ફાયદાઓનું સુંદર વર્ણન જોવા મળે છે.

App Store

શ્રાવણ મહિનામાં તુલસી વાવવાનું વિશેષ મહત્વ

પવિત્ર શ્રાવણ મહિનામાં ઘરમાં તુલસીનો છોડ વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ પવિત્ર માસમાં તુલસીનું વાવેતર કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

તુલસી વાવવાની સાચી રીત અને દિશા

  • યોગ્ય દિશા: વાસ્તુ નિયમો અનુસાર, તુલસીના છોડને ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

  • કુંડાની પસંદગી: તુલસીજીને હંમેશા એક સુંદર ચોરસ કુંડામાં વાવવા જોઈએ, જેમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા (કાણું) હોય જેથી છોડ સુકાઈ ન જાય.

તુલસી પૂજા અને રાખવાની સાવચેતી

  • શ્રાવણ મહિનામાં નિયમિતપણે તુલસીજીની પૂજા-અર્ચના કરવાથી આર્થિક લાભ થાય છે અને ઘરમાં ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે છે.

 જો કે, ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવાનું ટાળવાનું યાદ રાખો.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.