Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The center yoga of Sun and Varuna will bring difficult times for which 5 zodiac signs?

સૂર્ય અને વરુણનો કેન્દ્ર યોગ કઈ ૫ રાશિઓ માટે લાવશે મુશ્કેલ સમય?

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સૂર્ય અને વરુણનો કેન્દ્ર યોગ કઈ ૫ રાશિઓ માટે લાવશે મુશ્કેલ સમય?
સોર્સ : gstv

26 જૂન 2026ના રોજ અંતરિક્ષમાં એક મોટી અને દુર્લભ જ્યોતિષીય ઘટના ઘટવા જઈ રહી છે. દ્રિક પંચાંગ પ્રમાણે સવારે 4:06 વાગ્યે આત્માના કારક સૂર્ય દેવ અને રહસ્યમયી ગ્રહ વરુણ એકબીજાથી બરાબર 90 ડિગ્રીના અંતરે આવશે અને કેન્દ્ર યોગનું નિર્માણ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને વરુણ વચ્ચે બનવા જઈ રહેલો આ કેન્દ્ર યોગ ઘણી રીતે ખૂબ જ સંવેદનશીલ અને અનેક અર્થમાં નકારાત્મક માનવામાં આવે છે. વરુણ ગ્રહને ભ્રમ, છેતરપિંડી, અજાણ્યો ભય અને માનસિક ઉથલ-પાથલનો કારક માનવામાં આવે છે, જ્યારે સૂર્ય આપણા આત્મા અને આત્મવિશ્વાસનો પ્રતીક છે.

App Store

જ્યારે આ બંને એક-બીજાની સામે 90 ડિગ્રી પર આવે છે, તો વ્યક્તિની નિર્ણય ક્ષમતા પ્રભાવિત થાય છે. આ વખતે આ કેન્દ્ર યોગનો અશુભ પ્રભાવ વિશેષ રૂપે 5 રાશિઓના જીવન પર ભારી પડશે. તો ચાલો જાણીએ કે આ 'અન લકી' રાશિ કઈ છે. 

મેષ રાશિ

સૂર્ય અને વરુણનો આ યોગ તમારા માટે માનસિક તણાવ અને મૂંઝવણની સ્થિતિ ઊભી કરશે. 

અસર

કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે તાલમેલનો અભાવ રહેશે. તમારું ચાલુ કામ છેલ્લી ઘડીએ અટકી શકે છે, જેના કારણે સ્વભાવમાં ચીડિયાપણું રહેશે.

સાવચેતી

આ દરમિયાન કોઈપણ નવા પ્રોજેક્ટ અથવા બિઝનેસ ડીલ પર આંધળો વિશ્વાસ ન કરો. પૈસાની લેવડ-દેવડમાં છેતરપિંડી થવાના પ્રબળ સંકેતો છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ સમય આરોગ્ય અને આર્થિક મોરચે ઉતાર-ચઢાવ વાળો રહેશે. 

અસર

વરુણનો ભ્રમ ઉત્પન્ન કરનારો પ્રભાવ તમને ખોટા રોકાણ તરફ ધકેલશે. વ્યર્થ ખર્ચમાં અચાનક વધારો થશે જે બજેટને બગાડી શકે છે.

સાવચેતી

તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો, ખાસ કરીને પેટ અને આંખો સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. કાયદાકીય મામલાથી દૂર રહો.

સિંહ રાશિ

સૂર્ય તમારી જ રાશિના સ્વામી છે, તેથી આ કેન્દ્ર યોગની સીધી અને સૌથી ઊંડી અસર તમારા પર જોવા મળશે. 

અસર

કાર્યક્ષેત્ર પર તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. સીનિયર અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને મતભેદ અથવા દલીલ થવાની આશંકા છે. 

સાવચેતી

અહંકારને તમારી અંદર ન આવવા દો. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહ્યા છો તો તમારા પાર્ટનરની ગતિવિધિઓ પર નજર રાખો, પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ યોગ પારવારિક જીવન અને માનસિક શાંતિને પ્રભાવિત કરનારો સાબિત થશે. 

અસર

પરિવારના સભ્યો વચ્ચે કોઈ જૂની વાતને લઈને અવિશ્વાસની ભાવના ઉત્પન્ન થઈ શકે છે. તમે ખુદને એકલા અને તણાવગ્રસ્ત અનુભવી શકો છો. 

સાવચેતી

આ દરમિયાન પારિવારિક મામલોમાં ધીરજથી કામ લો. વિચાર્યા વગર આપવામાં આવેલ પ્રતિક્રિયા તમારા સંબંધોને બગાડી શકે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન પોતાના કરિયર અને અંગત જીવન બંનેમાં ખૂબ જ સાવચેતી રાખીને ચાલવાની જરૂર છે.

અસર

તમારી અંદર અજાણ્યો ભય અથવા નકારાત્મક વિચારો હાવી થઈ શકે છે, જે તમારી કાર્યક્ષમતાને પ્રભાવિત કરશે. નોકરી બદલવાનો વિચાર અત્યારે છોડી દેવો જ વધુ સારું રહેશે.

સાવચેતી

ભાવનામાં આવીને કોઈ મોટો નિર્ણય ન લો. તમારી નજીકની વ્યક્તિ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી શકે છે, તેથી તમારી બુદ્ધિનો ઉપયોગ કરો.

અશુભ પ્રભાવથી બચવાના જ્યોતિષીય ઉપાય

સૂર્ય દેવની ઉપાસના

રોજ સવારે તાંબાના કળશમાં પાણી લઈને તેમાં થોડું કુમકુમ નાંખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો અને 'ૐ ઘૃણિ સૂર્યાય નમ:' મંત્રનો જાપ કરો. 

ભ્રમથી બચવા માટે ધ્યાન કરો

મનને શાંત રાખવા અને વરુણની નકારાત્મક પ્રભાવે (ભ્રમ)થી બચવા માટે, દરરોજ ઓછામાં ઓછા 10-15 મિનિટ ધ્યાન અથવા પ્રાણાયામ કરો.

ગાયત્રી મંત્રનો પાઠ

માનસિક સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ જાળવી રાખવા માટે દરરોજ 21 કે 108 વખત ગાયત્રી મંત્રનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી રહેશે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.