Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion / Which direction to face while worshiping on Putrada Ekadashi? Know Vastu rules to get the grace of Lord Vishnu

Religion / પુત્રદા એકાદશી પર પૂજા કરતી વખતે કઈ દિશામાં મુખ રાખવું? જાણો ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાના વાસ્તુ નિયમો

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Religion / પુત્રદા એકાદશી પર પૂજા કરતી વખતે કઈ દિશામાં મુખ રાખવું? જાણો ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાના વાસ્તુ નિયમો
સોર્સ : gstv

દર મહિનાના સુદ (શુક્લ પક્ષ) અને વદ (કૃષ્ણ પક્ષ)ની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત્ પૂજા-અર્ચના કરવાની પરંપરા છે. આ દિવસે શ્રદ્ધાળુઓ વ્રત-ઉપવાસ પણ રાખે છે. ધાર્મિક માન્યતા અનુસાર, એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય તમામ પાપોમાંથી મુક્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

App Store

વૈદિક પંચાંગ મુજબ, શ્રાવણ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે પૂજા દરમિયાન વાસ્તુના કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને ભગવાન શ્રીહરિના વિશેષ આશીર્વાદ મળે.

એકાદશી પૂજા માટે વાસ્તુ ટિપ્સ

પૂર્વ દિશા: પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ મુખ રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશા સૂર્યોદય અને જ્ઞાનનું પ્રતીક છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, પૂર્વ તરફ મુખ રાખીને આરાધના કરવાથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને જીવનમાં પ્રસન્નતા આવે છે.

ઉત્તર દિશા: વાસ્તુ અનુસાર ઉત્તર દિશાને ધન, ધનપતિ કુબેર અને માતા લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. તેથી, ઉત્તર દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી પણ આર્થિક સ્થિરતા, સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

મૂર્તિ સ્થાપન અને દિશાનું મહત્વ

વાસ્તુશાસ્ત્ર મુજબ ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીર પૂર્વ અથવા ઉત્તર દિશાની દીવાલ પર એવી રીતે સ્થાપિત કરવી જોઈએ કે ભક્ત પૂજા કરતી વખતે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી શકે.

ખાસ ધ્યાનમાં રાખો કે પૂજા કરતી વખતે ભક્તનું મુખ ક્યારેય દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ, કારણ કે દક્ષિણ દિશા પિતૃઓની દિશા માનવામાં આવે છે. તેથી માંગલિક કાર્યો કે પૂજા દરમિયાન દક્ષિણ તરફ મુખ રાખવાની મનાઈ છે.

પુત્રદા એકાદશી શુભ મુહૂર્ત અને તિથિ

એકાદશી તિથિ પ્રારંભ: શ્રાવણ સુદ એકાદશી તિથિ ૨૩ ઓગસ્ટના રોજ વહેલી સવારે ૦૨:૦૦ વાગ્યે શરૂ થશે.

એકાદશી તિથિ સમાપ્તિ: ૨૪ ઓગસ્ટના રોજ સવારે ૦૪:૧૮ વાગ્યે તિથિ પૂર્ણ થશે.

વ્રત અને પારણાં: ઉદયાતિથિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત ૨૩ ઓગસ્ટના રોજ રાખવામાં આવશે, જ્યારે વ્રતના પારણાં ૨૪ ઓગસ્ટના રોજ કરવામાં આવશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.