Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion: Keep this one thing under the foot wiper, negativity will be removed from the house and happiness will increase!

Religion: પગ લૂછણિયા નીચે રાખો આ એક વસ્તુ, ઘરમાંથી નકારાત્મકતા થશે દૂર અને વધશે સુખ-સમૃદ્ધિ!

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Religion: પગ લૂછણિયા નીચે રાખો આ એક વસ્તુ, ઘરમાંથી નકારાત્મકતા થશે દૂર અને વધશે સુખ-સમૃદ્ધિ!
સોર્સ : gstv

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પગ લૂછણિયું મૂકવામાં આવે છે. ઘરમાં પ્રવેશતા પહેલા પગરખાં કાઢીને પગ લૂછવાની પરંપરા છે. આ ડોરમેટ માત્ર ઘરની અંદર ધૂળ-કચરો આવતો અટકાવતી નથી, પરંતુ નકારાત્મક ઉર્જાને પણ ઘરમાં પ્રવેશતી રોકે છે.

App Store

પ્રાચીન સમયમાં, મહેમાનો માટે ઘરના આંગણામાં જ પગ ધોવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આજે પણ મંદિરમાં પ્રવેશતા પહેલા પગ ધોવાનો નિયમ જોવા મળે છે. આ પરંપરા ફક્ત શારીરિક સ્વચ્છતા માટે જ નહીં, પરંતુ માનસિક શાંતિ સાથે પણ જોડાયેલી છે. આપણે ઘરની બહાર દિવસ દરમિયાન ઘણી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ, જેમાં ઘણીવાર ગુસ્સો, લોભ અને નકારાત્મક લાગણીઓ અનુભવાય છે.

આવી લાગણીઓ સાથે ઘરમાં પ્રવેશ કરવાથી ઘરનું વાતાવરણ અશાંત થઈ શકે છે. ઘરમાં પ્રવેશતા પહેલાં પગ ધોવાથી મનને એક સકારાત્મક સંકેત મળે છે, જે આવી નકારાત્મક લાગણીઓને ઘર બહાર છોડવામાં મદદ કરે છે. તેનાથી ઘર અને મન બંનેની શુદ્ધતા જળવાઈ રહે છે.

જોકે, આધુનિક હાઉસિંગ કોમ્પ્લેક્સ અને ફ્લેટ્સમાં આંગણા કે પગ ધોવાની સુવિધા હોવી મુશ્કેલ છે, તેથી 'પગ લૂછણિયું' તેનો ઉત્તમ વિકલ્પ બને છે. સામાન્ય લાગતો આ કાપડનો ટુકડો તમારું નસીબ કેવી રીતે બદલી શકે છે, તે અંગે વાસ્તુશાસ્ત્રની કેટલીક ઉપયોગી ટિપ્સ અહીં આપી છે:

પગ લૂછણિયાનો રંગ: મુખ્ય દરવાજા પર આછા લીલા રંગનો ડોરમેટ રાખવો શુભ માનવામાં આવે છે. તે કાળા કે ખૂબ ઘેરા રંગનો ન હોવો જોઈએ. ઘરમાં પ્રવેશતી વખતે રંગ મનને પ્રસન્નતા આપે તેવો હોવો જોઈએ, તેથી હળવા રંગોની પસંદગી કરવી.

નિયમિત બદલો: પગ લૂછણિયાને સમયાંતરે બદલતા રહેવો જોઈએ. આ અભિગમ સ્વાસ્થ્ય અને વાસ્તુ સંતુલન બંને માટે ફાયદાકારક છે. તેનાથી નકારાત્મક ઉર્જા એકઠી થતી નથી અને ઘરમાં માં લક્ષ્મી (સમૃદ્ધિ)ના આગમનમાં કોઈ અવરોધ આવતો નથી.

ફટકડીનો ઉપાય: ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે પગ લૂછણિયાની નીચે ફટકડીનો એક નાનો ટુકડો રાખો. જેમ ફટકડી પાણીને શુદ્ધ કરે છે, તેમ જ ડોરમેટ નીચે રાખવાથી તે ઘરનું વાતાવરણ શાંત અને સકારાત્મક બનાવે છે. તેનાથી નાણાકીય આવકનો પ્રવાહ જળવાઈ રહે છે અને ઘરમાં બરકત રહે છે.

કપૂરનો ઉપાય: જો ઘરમાં કૌટુંબિક તકરાર કે મતભેદ રહેતા હોય, તો કપૂરની ગોટીઓને કપડામાં લપેટીને દરવાજાના ઉંબરા નજીક રાખો. કપૂર વાતાવરણને શુદ્ધ કરીને ગૃહક્લેશ દૂર કરે છે. જે ઘરમાં શાંતિ હોય ત્યાં માં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે.

તૂટેલો ઉંબરો સુધારો: જો ઘરનો ઉંબરો (દરવાજાની ચોકઠું) તૂટેલો કે તિરાડ વાળો હોય, તો તેને તરત જ રિપેર કરાવવો જોઈએ. તૂટેલો ઉંબરો અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉંબરો હંમેશાં સારી સ્થિતિમાં હોવો જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.