VIDEO: શનિવારથી બેઠું 'મૃત્યુ પંચક'! આ વસ્તુઓ ખરીદી તો થશે મોટું નુકસાન
હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં પંચક કાળની ગણતરી સૌથી અશુભ સમયમાં કરવામાં આવે છે. પંચકના 5 દિવસો દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતું. દ્રિક પંચાંગ પ્રમાણે જુલાઈમાં પહેલો પંચક 3 અને 4ની રાત્રે 12:48 વાગ્યે શરૂ થશે અને 8 જુલાઈ, 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધી રહેશે.
જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં ગોચર કરીને છેલ્લા 5 નક્ષત્રો - ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતીથી પસાર થાય છે, ત્યારે આ સમયગાળો પંચક કહેવાય છે.
4 જુલાઈથી મૃત્યુ પંચક
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પંચકનું નામ અઠવાડિયાના દિવસ દ્વારા નક્કી થાય છે. જેમ કે, રવિવારથી શરૂ થતા પંચકને રોગ પંચક કહેવામાં આવે છે, સોમવારે શરૂ થતા પંચકને રાજ પંચક, મંગળવારે શરૂ થતા પંચકને અગ્નિ પંચક, શુક્રવારે શરૂ થતા પંચકને ચોર પંચક અને શનિવારે શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવામાં આવે છે. આ પંચક શનિવાર, 4 જુલાઈ, 2026ના રોજથી લાગી રહ્યો હોવાથી, તેને મૃત્યુ પંચક કહેવામાં આવશે, જેને સૌથી અશુભ પંચક માનવામાં આવે છે.
મૃત્યુ પંચકમાં આ કામ ન કરો
જોકે, આમ તો તમામ પંચક કાળ અશુભ હોય છે, પરંતુ મૃત્યુ પંચક સૌથી ખરાબ માનવામાં આવે છે, જે તેના નામ પરથી જ સ્પષ્ટ થાય છે. પરંતુ મૃત્યુ પંચકમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ.
મૃત્યુ પંચક દરમિયાન કોઈપણ જોખમી કામ ન કરવું જોઈએ. આ સમય દરમિયાન દુર્ઘટના, આર્થિક નુકસાન અને વિવાદો થવાના યોગ વધુ રહે છે.
આ સમય દરમિયાન, ન તો મિલકત ખરીદો અને ન તો સગાઈ, લગ્ન, ગૃહ પ્રવેશ અને ઘર બનાવવાની શરૂઆત જેવા કામ ન કરો.
આ સમય દરમિયાન ખરીદી કરવાનું પણ ટાળવું જોઈએ. ખાસ કરીને નવા પલંગ, લાકડાની વસ્તુઓ અને ઈંધણ જેવી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

