Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Mohini Ekadashi Vrat will give freedom from sins

મોહિની એકાદશી વ્રત અપાવશે પાપોમાંથી મુક્તિ, ભગવાન વિષ્ણુના મળશે આશીર્વાદ

Timeછેલ્લું અપડેટ : 16 May 2024
લાઇવ ટીવીGoogle News
મોહિની એકાદશી વ્રત અપાવશે પાપોમાંથી મુક્તિ, ભગવાન વિષ્ણુના મળશે આશીર્વાદ

સનાતન ધર્મમાં ઘણા વ્રત અને તહેવારો મનાવવામાં આવે છે પરંતુ એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તમામ તિથિઓમાં એકાદશીની તિથિ શ્રી હરિની પ્રિય તિથિ છે.

App Store

આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને આ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવતી એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લઈને અનિષ્ટનો નાશ કર્યો હતો. તો આજે આ લેખ દ્વારા અમે તમને મોહિની એકાદશીની ચોક્કસ તારીખ અને અન્ય માહિતી આપી રહ્યા છીએ.

મોહિની એકાદશીની તિથિ

આ વર્ષે મોહિની એકાદશીનું વ્રત 19 મે રવિવારના રોજ કરવામાં આવશે. જે લોકો મોહિની એકાદશીનું વ્રત કરે છે તેમના પાપોનો નાશ થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે અને આ દિવસે ઉપવાસ કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે અને તમામ કષ્ટો અને દુ:ખ પણ દૂર થાય છે.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરી શકાય છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે જેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

સૂચના : આ લેખમાં આપવામાં આવેલ માહિતી  જ્યોતિષીઓ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ પર આધારિત છે.  અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.