Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Many rare auspicious coincidences occurred on Hanuman Janmotsav news

Hanuman Jayanti: હનુમાન જન્મોત્સવ પર અનેક દુર્લભ શુભ સંયોગો બન્યા, આ શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી મળશે બજરંગબલીના આશીર્વાદ

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Hanuman Jayanti: હનુમાન જન્મોત્સવ પર અનેક દુર્લભ શુભ સંયોગો બન્યા, આ શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી મળશે બજરંગબલીના આશીર્વાદ

હનુમાન જયંતિ (Hanuman Jayanti) દર વર્ષે ચૈત્ર માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે મારુતિ નંદનની પૂજા શ્રદ્ધા ભાવથી કરવામાં આવે છે. હનુમાન જયંતિની (Hanuman Jayanti) ઉજવણી માટે મંદિરોમાં ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. હનુમાન જન્મોત્સવના દિવસે રામચરિતમાનસ, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જે પણ ભક્તો આ દિવસે આ પાઠ કરે છે તેના પરિવાર પર બજરંગબલીની વિશેષ કૃપા વરસે છે. આ વર્ષે હનુમાન જયંતિનો તહેવાર ખૂબ જ શુભ યોગમાં ઉજવવામાં આવી રહી છે. તો અહીં જાણો યોગ અને પૂજાના શુભ મુહૂર્ત વિશે...

App Store

હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav) 2025 શુભ યોગ

આ વર્ષે હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav) 12 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે હસ્ત નક્ષત્ર, વ્યાઘાત યોગ અને શનિવારનો શુભ સંયોગ બની રહ્યો છે. હસ્ત નક્ષત્ર સાંજે 6.08 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન વ્યાઘાત યોગ પણ બનશે, જે રાત્રે 8:39 સુધી ચાલશે. આ વખતે હનુમાન જયંતિ શનિવારે છે. તમને જણાવી દઈએ કે શનિવાર બજરંગબલીની પૂજા માટે સમર્પિત છે. આવી સ્થિતિમાં શનિવારે પડતો હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav) ખૂબ જ શુભ સંયોગ છે.

હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav) 2025નું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર ચૈત્ર શુક્લ પક્ષની પૂનમની તિથિ 12 એપ્રિલે સવારે 23:21 કલાકે શરૂ થઈ. પૂનમ તિથિ 13 એપ્રિલ 2025ના રોજ સવારે 5:51 વાગ્યે સમાપ્ત થશે. હનુમાન જન્મોત્સવની (Hanuman Janmotsav) પૂજા માટેનો પહેલું શુભ મુહૂર્ત 12 એપ્રિલના રોજ સવારે 7:34 થી 9:12 સુધીનું છે. આ પછી બીજું શુભ મુહૂર્ત સાંજે 6:46 થી 8:08 સુધી રહેશે.

હનુમાન જયંતિનું (Hanuman Jayanti) મહત્ત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, હનુમાનજીનો (Hanuman) જન્મ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે માતા અંજની અને વાનરરાજ રાજા કેસરીને ત્યાં થયો હતો. તેથી દર વર્ષે આ દિવસે હનુમાનજીની જન્મજયંતિ (Hanuman Jayanti) ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે કેસરી નંદનની સાથે ભગવાન રામ અને માતા સીતાની પણ પૂજા કરવી જોઈએ. સીતા રામની પૂજા વિના બજરંગબલીની પૂજા અધૂરી માનવામાં આવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.