Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Life-long sustenance with: These 2 radiant people prove to be the best spouses!

જીવનભર નિભાવે છે સાથે: આ 2 મૂળાંકવાળા લોકો સાબિત થાય છે શ્રેષ્ઠ જીવનસાથી!

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
જીવનભર નિભાવે છે સાથે: આ 2 મૂળાંકવાળા લોકો સાબિત થાય છે શ્રેષ્ઠ જીવનસાથી!
સોર્સ : gstv

હિન્દુ ધર્મમાં અંક જ્યોતિષને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વ્યક્તિની જન્મતારીખના આધારે મૂળાંક નક્કી થાય છે. મૂળાંકની મદદથી વ્યક્તિના સ્વભાવ, ભવિષ્ય અને જીવનના અનેક ખાસ રહસ્યો વિશે જાણી શકાય છે. અંક જ્યોતિષ પ્રમાણે 2 મૂળાંક એવા છે જે સાચા પ્રેમના ઉત્તમ ઉદાહરણ છે.

App Store

આ લોકો કોઈ પણ સ્વાર્થ વગર સંપૂર્ણ ઈમાનદારીથી સંબંધ નિભાવે છે અને પાર્ટનરને જીવનમાં હંમેશા ખુશ રાખે છે. ચાલો જાણીએ આ ખાસ મૂળાંકો વિશે.

મૂળાંક 2

અંક જ્યોતિષ પ્રમાણે જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 2 હોય છે. આ મૂળાંકના સ્વામી ગ્રહ ચંદ્ર દેવ છે. તેથી મૂળાંક 2 વાળા પર ચંદ્ર દેવનો પ્રભાવ વધુ રહે છે. ચંદ્રના પ્રભાવના કારણે આ લોકોનો સ્વભાવ ખૂબ જ શાંત, કોમળ અને સંવેદનશીલ હોય છે. આ લોકો પોતાના પાર્ટનરની વાત કહ્યા વગર સમજી લે છે અને જીવનમાં હંમેશા સાચો પ્રેમ નિભાવે છે. તેઓ દરેક મુશ્કેલ સમયમાં પાર્ટનરનો સાથ આપે છે અને તેમને ક્યારેય એકલતા પણ નથી અનુભવવા દેતા.

મૂળાંક 6

અંક જ્યોતિષ પ્રમાણે જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 6 હોય છે. આ મૂળાંકના સ્વામી ગ્રહ શુક્ર દેવ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને પ્રેમ, સુંદરતા, ભૌતિક સુખો અને આકર્ષણના કારક માનવામાં આવે છે. શુક્ર દેવના પ્રભાવના કારણે મૂળાંક 6 વાળા લોકો રોમેન્ટિક અને સંબંધો પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય છે. આ લોકો સંબંધને પૂરી ઈમાનદારીથી નિભાવે છે. સાથે જ તેઓ પોતાના વૈવાહિક જીવનમાં ક્યારેય ખટાશ નથી આવવા દેતા અને પાર્ટનરને હંમેશા ખુશ રાખે છે.

આ રીતે કરો ચંદ્ર દેવ અને શુક્ર દેવને પ્રસન્ન

મુલાંક 2 વાળા લોકોએ સોમવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી શિવજીનો અભિષેક કરવો. આ દરમિયાન પ્રભુ પાસે જીવનમાં સુખ-શાંતિની પ્રાપ્તિની કામના કરવી. એવું માનવામાં આવે છે કે મહાદેવની સાધના કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. જ્યારે, મૂળાંક 6 વાળા લોકોએ શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે ફળ, અન્ન અને ધનનું દાન કરવું. તેનાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:GSTV NewsGujarati News