Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Laxmi Pooja Offer these things to Goddess Lakshmi on Friday

Laxmi Pooja : શુક્રવારે લક્ષ્મી પૂજનમાં ધનદેવીને આ વસ્તુઓ અર્પણ કરો, થશે ધનલાભ

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2025
લાઇવ ટીવીGoogle News
Laxmi Pooja :  શુક્રવારે લક્ષ્મી પૂજનમાં ધનદેવીને આ વસ્તુઓ અર્પણ કરો, થશે ધનલાભ

સનાતન ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ એક અથવા વધારે દેવતાની પૂજા માટે સમર્પિત છે, જ્યારે શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની વિધિવત પૂજા કરે છે તેમજ વ્રત વગેરે પણ રાખે છે.

App Store

એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મેળવવા માટે જો શુક્રવારે દેવીને મનપસંદ ભોજન અર્પણ કરવામાં આવે તો દેવી જલ્દી પ્રસન્ન થઈને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. 

 દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ અર્પણ કરો 

ધાર્મિક માન્યતાઓ અનુસાર, દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ અર્પણ કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે દેવીને સફેદ રંગની વસ્તુઓ પસંદ છે.  આવી સ્થિતિમાં જો તમે શુક્રવારે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો તેમને ખીર અવશ્ય ચઢાવો.  આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.  તેની સાથે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કર્યા બાદ જો હલવો ચઢાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે અને આર્થિક લાભના આશીર્વાદ આપે છે.  તમને જણાવી દઈએ કે પ્રસાદ માટે માત્ર ઘીનો હલવો બનાવો.

 દેવી લક્ષ્મીને શ્રીફળ અર્પણ કરો 

તેવી જ રીતે, જો તમે હલવો અને ખીરનો પ્રસાદ તૈયાર ન કરી શકતા હોવ તો તમે શુક્રવારની પૂજામાં દેવી લક્ષ્મીને શ્રીફળ એટલે કે નાળિયેર પણ અર્પણ કરી શકો છો. નારિયેળ દેવીને ખૂબ પ્રિય છે અને તેને અર્પણ કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પૈસાની કટોકટી દૂર કરે છે.  આ દિવસે દેવી લક્ષ્મીને પતાશા પણ અર્પણ કરી શકાય છે, આ કરવાથી દેવીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે.

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધl જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.