Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : kamakhya devi mandir ambubachi mela start 2026 temple closed till 26 june

કામખ્યા મંદિરમાં કેમ થાય છે યોનિ પૂજા? 3 દિવસ સુધી નથી મળતી કોઈને એન્ટ્રી, જાણો રહસ્યમય વાતો

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
કામખ્યા મંદિરમાં કેમ થાય છે યોનિ પૂજા? 3 દિવસ સુધી નથી મળતી કોઈને એન્ટ્રી, જાણો રહસ્યમય વાતો
સોર્સ : GSTV

કામાખ્યા દેવી મંદિરમાં અંબુબાચી મેળો ૨૨ જૂનથી શરૂ થઈ ગયો છે અને ૨૬ જૂન સુધી ચાલશે. આ મેળાની ખાસ વાત એ છે કે આમાં ખૂબ જ મોટી સંખ્યામાં દૂર-દૂરથી તાંત્રિકો આવે છે. સાથે જ આ સમય દરમિયાન મંદિરના કપાટ (બારણાં) સંપૂર્ણપણે બંધ રહે છે. ન તો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરી શકે છે અને ન તો દેવીની નિયમિત પૂજા થાય છે. એટલે કે ૩ દિવસ સુધી મંદિરમાં ન તો પંડિત કે ન પૂજારી, કોઈ પણ પ્રવેશ કરતું નથી.

App Store

મંદિર પરિસરમાં તાંત્રિકો વિશેષ અનુષ્ઠાન કરે છે. માન્યતા છે કે આ સમય દરમિયાન દેવી રજસ્વલા (માસિક ધર્મમાં) હોય છે. આ એ જ સ્થાન છે જ્યાં દેવી સતીની યોનિ પડી હતી. દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષમાં દેવીને માસિક ધર્મ આવે છે અને મંદિર બંધ રહે છે. માન્યતા છે કે આ સમય દરમિયાન સૃષ્ટિમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

કાળું જાદુ નહીં, આધ્યાત્મ મુખ્ય છે

'તાંત્રિક' શબ્દ સાંભળીને સામાન્ય રીતે એવું જ લાગે છે કે અહીં માત્ર કાળું જાદુ (બ્લેક મેજિક) થતું હશે. જ્યારે કે કામાખ્યા દેવી મંદિરના આ ૩ દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ ખાસ હોય છે, જેના કારણે તાંત્રિકો અહીં આવે છે.

દેશના જાણીતા જ્યોતિષાચાર્ય કહે છે કે, આ એવો સમય હોય છે જ્યારે શુદ્ધ ઉર્જા સંગઠિત સ્વરૂપે પ્રગટ થાય છે. દેવી માતાના રજસ્વલા થવામાં માતૃભાવ રહેલો છે. યોનિમાંથી જ સૃષ્ટિનું સર્જન થાય છે, આ આત્માઓની અવરજવરનું દ્વાર છે. તેથી જ માતા પૂજનીય માનવામાં આવે છે, કારણ કે તેઓ સર્જન કરે છે.

જ્યારે દેવીના રજસ્વલા રહેવા દરમિયાન તાંત્રિકો અહીં આવે છે, ત્યારે તેઓ પરમાત્માની વધુ નજીક પહોંચી જાય છે. તેઓ જાણે છે કે યોનિ જ જીવનનો સ્ત્રોત છે, જો આના રહસ્યને સમજી લેવામાં આવે તો પરમાત્માને સમજવું સરળ બની જાય છે. આ રીતે, આ તક માત્ર કાળું જાદુ કરવાની નથી, પરંતુ આધ્યાત્મિક છે - પરમાત્માને સમજવાની છે.

ગુપ્ત સાધના થાય છે

આ રહસ્યને સમજવા માટે જ મોટી સંખ્યામાં તાંત્રિકો અહીં આવે છે અને ગુપ્ત સાધના કરે છે. આ ૩ દિવસ તાંત્રિકો માટે વિશેષ હોય છે. જોકે, આ દરમિયાન દેવી વિશ્રામ કરે છે અને દર્શન થતા નથી.

ચોથા દિવસે કામાખ્યા દેવીને 'શુદ્ધિ સ્નાન' કરાવવામાં આવે છે, ત્યારબાદ મંદિરના કપાટ તમામ ભક્તો માટે ખોલી દેવામાં આવે છે. આ દિવસે દેવીની વિશેષ પૂજા કરવામાં આવે છે. સાથે જ પ્રસાદમાં દેવીનું 'અંગવસ્ત્ર' (રક્ત વસ્ત્ર) મળે છે, જેને મેળવવા માટે ભક્તો અને તાંત્રિકો ખૂબ મોટી સંખ્યામાં અહીં પહોંચે છે.