Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : In which direction should the idol of Lord Ganesha be placed for happiness and prosperity in the house?

VIDEO : Vastu Tips/ ગણેશ સ્થાપનાના વાસ્તુ નિયમો: ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે ગણેશજીની મૂર્તિ કઈ દિશામાં રાખવી?

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિઘ્નહર્તા શ્રી ગણેશજી પ્રથમ પૂજનીય છે. તેમની પૂજા વિના કોઈપણ કાર્ય સફળ કે સિદ્ધ થઈ શકતું નથી. દરેક હિન્દુ ઘરના પૂજા સ્થાન કે મંદિરમાં ગણેશજીની એક મૂર્તિ ચોક્કસ હોય જ છે. ગણેશજીની પૂજા વિધિ-વિધાનથી કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનના સંકટો તેમજ વિઘ્નો દૂર થાય છે. ઘણા લોકોના ઘરમાં એક કરતાં વધુ ગણેશજીની મૂર્તિઓ હોય છે, પરંતુ તે સાચી જગ્યાએ કે સાચી દિશામાં હોતી નથી. તો અહીં જાણો કે ઘરમાં ગણેશજીની મૂર્તિ ક્યાં રાખવી જોઈએ? અને આ અંગે વાસ્તુના નિયમો શું કહે છે?

App Store

ઘરમાં ગણેશ મૂર્તિ કઈ દિશામાં રાખવી જોઈએ?

શ્રેષ્ઠ દિશા: ગણેશજીની મૂર્તિને હંમેશા ઘરના ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ દિશામાં) રાખવી જોઈએ. ઉત્તર-પૂર્વ ખૂણાને દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. આ જગ્યાએ જ ઘરનું પૂજા સ્થાન હોવું જોઈએ.

પૂજા કરતી વખતનું મુખ: ગણેશજીની મૂર્તિ એવી રીતે રાખો કે પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે.

અન્ય વિકલ્પ: જો ઈશાન ખૂણો ઉપલબ્ધ ન હોય, તો તમે પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં પણ ગણેશ મૂર્તિ રાખી શકો છો.

ગણેશ મૂર્તિ રાખવાના વાસ્તુ નિયમો શું છે?

દક્ષિણ દિશા વર્જિત છે: ગણેશજીની મૂર્તિને ભૂલથી પણ ઘરની દક્ષિણ દિશામાં ન રાખવી. આ દિશાને યમરાજ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે.

સીડીઓની નીચે ન રાખવી: વાસ્તુ અનુસાર, ગણેશજી કે અન્ય કોઈ દેવી-દેવતાઓની મૂર્તિઓને સીડીઓની નીચે ન રાખવી જોઈએ. સીડીઓની નીચે પૂજા સ્થાન ન બનાવવું, કારણ કે જ્યારે તમે સીડીઓ ચઢશો ત્યારે ભગવાનની મૂર્તિઓ પગની નીચે આવશે, જેનાથી દોષ લાગે છે.

બાથરૂમની દીવાલ પાસે ન રાખવી: ગણેશજી કે અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓને ટોઇલેટ કે બાથરૂમની દીવાલ સાથે અડાડીને ન રાખવી, તેમજ આ જગ્યાને અડીને પૂજા ઘર પણ ન હોવું જોઈએ. તેનાથી ઘરમાં વાસ્તુદોષ ઊભો થાય છે.

બેડરૂમમાં ન રાખવી: ઘરના બેડરૂમમાં પણ ગણેશજી કે અન્ય કોઈ દેવી-દેવતાની મૂર્તિ ન રાખવી જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે.

ડાબી બાજુ વળેલી સૂંઢ: ઘરમાં હંમેશા ડાબી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે (જેમને વામમુખી ગણેશ કહેવાય છે). આ મૂર્તિની પૂજામાં બહુ કડક નિયમોનું પાલન કરવું પડતું નથી. તમે સામાન્ય વિધિથી પણ તેમની પૂજા કરી શકો છો.

જમણી બાજુ વળેલી સૂંઢ: જમણી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીની પૂજાના નિયમો ખૂબ જ કઠિન હોય છે. આ કારણે આવી મૂર્તિઓ સામાન્ય રીતે મંદિરોમાં જ સ્થાપિત કરવામાં આવે છે અને ત્યાં પૂરેપૂરા વિધિ-વિધાનથી પૂજા થાય છે.

મૂર્તિનો રંગ: ઘરમાં સુખ-શાંતિ માટે ગણેશજીની સફેદ રંગની મૂર્તિ રાખવી. જ્યારે પરિવારની પ્રગતિ અને સમૃદ્ધિ માટે ગણેશજીની સિંદૂરી રંગની મૂર્તિ સ્થાપિત કરવી.

ઘરમાં એક કરતાં વધુ ગણેશ મૂર્તિ રાખવી યોગ્ય છે?

ઘરમાં હંમેશા ગણેશજીની એક કે બે મૂર્તિ જ રાખવી જોઈએ. ત્રણ મૂર્તિઓ રાખવાથી વાસ્તુદોષ થાય છે. જો તમે બે મૂર્તિઓ રાખો છો, તો ધ્યાન રાખવું કે તે બંનેના મુખ એકબીજાની આમને-સામને ન હોવા જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.