Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Here, Mother is worshipped not in the form of an idol but

Religion :51 શક્તિપીઠોમાં અનોખું સ્થાન, અહીં માતાજીની પૂજા મૂર્તિ સ્વરૂપે નહીં પરંતુ...

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Religion :51 શક્તિપીઠોમાં અનોખું સ્થાન, અહીં માતાજીની પૂજા મૂર્તિ સ્વરૂપે નહીં પરંતુ...
સોર્સ : gstv

દેશમાં દેવી-દેવતા ઘણાં મંદિરો આવેલા છે, જેમાં 51 શક્તિપીઠનો સમાવેશ થાય છે, 51 શક્તિપીઠોમાંથી એક આ અનોખા મંદિરમાં દેવીની મૂર્તિને બદલે એક દિવ્ય ઝૂલની પૂજા કરવામાં આવે છે. સવારથી જ માતાજીના દરબારમાં "જય માતાજી"નો નાદ ગુંજે છે.

App Store

દેવીના પારણાની પૂજા કરતા ભક્તો

નવરાત્રિ દરમિયાન પ્રયાગરાજના સંગમ નગરીમાં આવેલા અલોપ શંકરી દેવી શક્તિપીઠમાં માતાજીના પવિત્ર ઝૂલને ખૂબ જ ધામધૂમથી શણગારવામાં આવે છે. અહીં માતાજીની મૂર્તિની પૂજા કરવાને બદલે એક પ્રાચીન લાકડાના ઝૂલાની પૂજા કરવામાં આવે છે, જેને ફૂલો, રંગબેરંગી ચુંદડી અને સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે. ભક્તો અલોપી શંકરી માતાજીના આ અનોખા,નિરાકાર સ્વરૂપના દર્શન કરે છે અને પ્રાર્થના કરે છે.

માતાજીના ઝૂલાનો દિવ્ય શણગાર

દેવી સતીના જમણા હાથની આંગળી જ્યાં પડી હતી તે સ્થાન પરથી લટકતો લાકડાનો ઝૂલો મંદિરમાં દિવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં ઘણા ભવ્ય પ્રાચીન મંદિરો છે, ત્યારે અલોપી શંકરી માતાજીના મંદિરમાં નવરાત્રી દરમિયાન એક અલૌકિક દૃશ્યો જોવા મળે છે. અષ્ટમી અને નવમી પર દેવીના ઝૂલાને ભવ્ય રીતે શણગારવામાં આવે છે.