Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Do these 5 sacred deeds in the month of Phalguna for happiness and peace in life

મહાશિવરાત્રીથી હોળી સુધી ભક્તિનો મહીમા: જીવનમાં સુખ-શાંતિ માટે ફાગણ માસમાં કરો આ 5 પવિત્ર કાર્યો

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
મહાશિવરાત્રીથી હોળી સુધી ભક્તિનો મહીમા: જીવનમાં સુખ-શાંતિ માટે  ફાગણ માસમાં કરો આ 5 પવિત્ર કાર્યો
સોર્સ : GSTV

હિન્દુ કેલેન્ડર મુજબ, ફાગણ મહિનો માઘ પૂર્ણિમા પછી શરૂ થાય છે, જે વસંતના આગમનનો સંકેત આપે છે. હવામાનમાં પરિવર્તનની સાથે પ્રકૃતિ ઊર્જાવાન બને છે. આ મહિનો જીવનમાં તાજગી અને સકારાત્મકતા લાવવાની ઉત્તમ તક પૂરી પાડે છે.

App Store

ધાર્મિક દ્રષ્ટિકોણથી ફાગણ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ મહિનામાં મહાશિવરાત્રી અને હોળી જેવા મુખ્ય તહેવારો આવે છે. આ ઉપરાંત, આ માસમાં ઘણા મહત્વપૂર્ણ ઉપવાસ અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ સમય મનની શાંતિ, સંબંધોની મજબૂતી અને આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રેષ્ઠ છે. ચાલો, આ પવિત્ર મહિનામાં કરવા યોગ્ય પાંચ મહત્વપૂર્ણ કાર્યો વિશે જાણીએ:

ભગવાન શિવની પૂજા: આંતરિક શક્તિની પ્રાપ્તિ

ફાગણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રી આ જ મહિનામાં આવતી હોવાથી આખો મહિનો ભક્તિમય વાતાવરણ રહે છે. દરરોજ સવારે શિવલિંગ પર જલાભિષેક કરવો, પીળા કે સફેદ ફૂલ અર્પણ કરવા અને "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી મનમાં સ્થિરતા આવે છે, ક્રોધ ઓછો થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. શિવ ઉપાસના જીવનના અવરોધો દૂર કરી સકારાત્મક વિચારસરણી કેળવે છે.

રાધા-કૃષ્ણની પૂજા: પ્રેમ અને સંવાદિતામાં વધારો

ફાગણ મહિનો રંગો અને આનંદનો સમય છે. ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલો હોળીનો તહેવાર આ જ સમયે આવે છે. આ મહિનામાં રાધા-કૃષ્ણને ગુલાલ અર્પણ કરવો, ભજન ગાવા અને તેમની પૂજા કરવી અત્યંત મંગલકારી માનવામાં આવે છે. આનાથી પરિવારમાં પ્રેમ અને સંવાદિતા વધે છે, વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે અને સંબંધો મજબૂત બને છે.

સંતાન પ્રાપ્તિ માટે કૃષ્ણના બાળ સ્વરૂપ (લાડુ ગોપાલ)ની પૂજા કરવી.

પ્રેમ અને સુખ માટે કૃષ્ણના યુવા સ્વરૂપનું ધ્યાન ધરવું.

જ્ઞાન અને માર્ગદર્શન માટે કૃષ્ણને ગુરુ સ્વરૂપે પૂજવા ફાયદાકારક છે.

ચંદ્રને અર્ધ્ય: માનસિક શાંતિ માટે

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મન અને લાગણીઓનો સ્વામી માનવામાં આવે છે. ફાગણ મહિનામાં દરરોજ સાંજે ચંદ્રને દૂધ મિશ્રિત જળનું અર્ધ્ય અર્પણ કરવાથી શુભ ફળ મળે છે. તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે અને શાંતિ મળે છે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમના માટે આ ઉપાય વિશેષ ફળદાયી છે. આનાથી ભાવનાત્મક સંતુલન જળવાય છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે.

 દાન: સૌભાગ્યમાં વૃદ્ધિ

ફાગણ મહિનો દાન-પુણ્ય માટે ઉત્તમ છે. તમારી ક્ષમતા મુજબ શુદ્ધ ઘી, સરસવનું તેલ, અનાજ, મોસમી ફળો અથવા વસ્ત્રોનું દાન કરો. દાન કરવાથી માત્ર પુણ્ય જ નથી મળતું, પરંતુ સમાજમાં સહકાર અને સુમેળની ભાવના પણ વધે છે. માન્યતા છે કે આ મહિનામાં કરવામાં આવેલું દાન અનેકગણું ફળ આપે છે.

હોળાષ્ટક દરમિયાન સાવધાની અને સંયમ

ફાગણ મહિનાના અંતિમ આઠ દિવસોને 'હોળાષ્ટક' કહેવામાં આવે છે. આ દિવસો દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ કે નવા પ્રોજેક્ટ શરૂ કરવા જેવા શુભ કાર્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે. આ મહિનામાં માંસ, મદિરા કે તામસિક ખોરાકથી દૂર રહેવું હિતાવહ છે. વાણીમાં મધુરતા રાખવી અને ગુસ્સો ટાળવો જોઈએ.

ફાગણ એ પ્રેમ અને ઉમંગનો મહિનો છે, તેથી કઠોર શબ્દો, ઈર્ષ્યા અને દ્વેષથી દૂર રહી દયા અને કરુણા અપનાવવાથી જીવનમાં સાચી મીઠાશ આવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.