Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Do not do these 2 things after sunset

Vastu Tips / સૂર્યાસ્ત પછી ન કરો આ 2 કામ, નહીં તો કરવો પડશે મુશ્કેલીનો સામનો

Timeછેલ્લું અપડેટ : 11 May 2025
લાઇવ ટીવીGoogle News
Vastu Tips / સૂર્યાસ્ત પછી ન કરો આ 2 કામ, નહીં તો કરવો પડશે મુશ્કેલીનો સામનો

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના નિર્માણથી લઈને ઘરની વસ્તુઓ કઈ દિશામાં રાખવી જોઈએ તે તમામ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જો આપણે વાસ્તુશાસ્ત્ર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનનું પાલન કરીએ અને વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીએ તો કોઈપણ પ્રકારની ખામી આપણા જીવનને પ્રભાવિત નથી કરતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી સૂતા પહેલા વ્યક્તિએ ભૂલથી પણ કેટલીક ભૂલો ન કરવી જોઈએ. 

App Store

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ ભૂલોને ટાળવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક સમસ્યા પણ ઊભી નથી થતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત થયા પછી મુખ્ય દરવાજો અને તેની આસપાસનો વિસ્તાર ગંદો ન રહે તેનું ધ્યાન રાખો. દેવી લક્ષ્મીને ગંદકી પસંદ નથી અને તે આવી જગ્યાએ ક્યારેય નિવાસ નથી કરતા. એટલા માટે ઉત્તર દિશામાં પણ સ્વચ્છતા રાખવી જોઈએ, જે ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની દિશા કહેવાય છે. 

વાસ્તુ અનુસાર સવારે પૂજામાં જે ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તેને મોડી રાત સુધી પૂજા રૂમમાં ન રાખવા જોઈએ. સાંજની આરતી પછી દિવસના ફૂલ અને દિવસનું પાણી લઈ લેવું જોઈએ. માટલું સ્વચ્છ પાણીથી ભરેલું હોવું જોઈએ. જો ઘરમાં નકારાત્મકતાનો અહેસાસ થતો હોય તો રાત્રે સૂતી વખતે કપૂર સાથે લવિંગને બાળી નાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે દરરોજ આ કરો છો તો તમારી સંપત્તિમાં વધારો થાય છે અને નકારાત્મકતા દૂર રહે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.